SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ દંડક પ્રશ્ન ર૫૦. મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં કેટલા દંડકો છે? ઉત્તરઃ મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં એક મનુષ્યનો દંડક છે. હવે યોગનું વર્ણન કરે છે કારસ સુરનિરએ, તિરિએનુ તેર પનર મણુએસ, વિગલે ચઉ પણ વાએ, જોગ તિગં થાવરે હોઈ . ૨૧ ભાવાર્થ-દેવતાઅને નારકીઓને ૧૧યોગ છે. તિર્યંચોને ૧૩યોગ છે. મનુષ્યોને ૧૫ યોગ છે. વિકલેન્દ્રિયને ચાર યોગ છે. વાયુકાય જીવોને પાંચ યોગ છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વનસ્પતિકાય જીવોને ત્રણ યોગ છે. આ ૨૧ પ્રશ્ન ર૫૧. દેવતાના ૧૩ દંડકમાં કેટલા યોગ છે? ઉત્તર દેવતાના ૧૩દંડકમાં ૧૧યોગતે આ પ્રમાણેઃ- (૧) સત્યમનયોગ, (૨) સત્યવચનયોગ, (૩) અસત્યમનયોગ, (૪) સત્યાસત્યવચનયોગ, (૫) અસત્યવચનયોગ, (૬) અસત્યાસત્યવચનયોગ, (૭) અસત્યાસત્યમનયોગ, (૮) સત્યાસત્યમનયોગ, (૯) વૈક્રિયકાયયોગ, (૧૦) વક્રિય મિશ્રકાયયોગ (૧૧) કાર્મણકાયોંગ. પ્રશ્ન ૨૫૨. નારકના જીવોને કેટલા યોગ છે? ઉત્તરઃ નારકના જીવોને ૧૧ યોગ છે. તે આ પ્રમાણે - ચાર મનયોગ, ચાર વચનયોગ, ત્રણ કાયયોગ, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, અને કાર્મણ. પ્રશ્ન ર૫૩. તિર્યંચ ગતિમાં કેટલા યોગ છે? ઉત્તરઃ તિર્યંચ ગતિમાં ૧૩યોગ છે. તે આ પ્રમાણે :- મનના ૪, વચનના ૪, દારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાયયોગ. પ્રશ્ન ૨૫૪. મનુષ્યમાં કેટલા યોગ છે? ઉત્તરઃ મનુષ્યમાં ૧૫ યોગ છે. પ્રશ્ન ૨૫૫. વિકલેન્દ્રિયોમાં કેટલા યોગ છે? ઉત્તરઃ વિકલેન્દ્રિયોમાં ચાર યોગ છે તે આ પ્રમાણે - (૧) ઔદારિક કાયયોગ, (૨) ઔદારિક મિશ્રકાયયોગ, (૩) કર્મણ કાયયોગ, (૪) અસત્યાસત્યવચનયોગ. પ્રશ્ન ૨૫૬. વાયુકાય જીવોમાં કેટલા યોગ હોય છે?
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy