________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ન ૧૧૫. બાર યોજનની કાયાવાળા દંડક કેટલા છે ?
:
:
ઉત્તર ઃ બાર યોજનની કાયાવાળો એક જ દંડક છે : બેઇન્દ્રિય. પ્રશ્ન ૧૧૬. પાચંસો ધનુષ્યની કાયાવાળા કેટલા દંડક છે ? ઉત્તર ઃ પાચંસો ધનુષ્યની કાયાવાળો એક દંડક છે : સાતમી નારકીનો.
૧૮
થાવર-સુર-નેરઇઆઅસંઘયણા ય વિગલ છેવટ્ટા સંઘયણ છગ્ગ ગÇય, નર-તિરિએસ વિ મુર્ણયવ્વ ॥ ૧૧ ॥ ભાવાર્થ : સ્થાવર, દેવતા, નારકીઓ અસંઘયણી છે. વિકલેન્દ્રિયો છેવઢા સંઘયણવાળા છે તથા ગર્ભજ તિર્યંચો અને મનુષ્યોને છએ સંઘયણ હોય છે. ।। ૧૧ ।।
પ્રશ્ન ૧૧૭. કેટલા દંડકમાં સંઘયણ હોતા નથી ?
ઉત્તર : ૧૯ દંડકમાં એક પણ સંઘયણ હોતું નથી. તે આ પ્રમાણે :- નારકનો ૧, દેવતાના ૧૩(૧૦ભવનપતિ, વ્યંતર, જયોતિષ, વૈમાનિક) સ્થાવરના પાંચ દંડક, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય.
પ્રશ્ન ૧૧૮. એક સંઘયણવાળા દંડકો કેટલા છે ?
ઉત્તર ઃ એક સંઘયણવાળા દંડકો ૩ છે : બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય આ ત્રણ દંડકમાં એક છેવકું સંઘયણ હોય છે.
પ્રશ્ન ૧૧૯.૭ એ સંઘયણવાળા દંડક કેટલા છે ?
ઉત્તર ઃ છ એ સંઘયણવાળા દંડકો બે છે : (૧) ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, (૨)
મનુષ્ય.
પ્રશ્ન ૧૨૦.વજઋષભનારાચ સંઘયણવાળા દંડકો કેટલા છે ?
ઉત્તર : વજ્રૠષભનારાચ સંઘયણવાળા દંડકો બે છે. (૧) ગર્ભજ તિર્યંચ (૨) મનુષ્ય.
પ્રશ્ન ૧૨ ૧, ૠષભ નારાચ સંઘયણ કેટલા દંડકોમાં છે ?
ઉત્તર ઃ ઋષભ નારાચ સંઘયણબે દંડકોમાં છેઃ (૧) ગર્ભજતિર્યંચ, (૨)મનુષ્ય. પ્રશ્ન ૧૨ ૨. નારાય સંઘયણ કેટલા દંડકમાં છે ?
ઉત્તર ઃ નારાચ સંઘયણ બે દંડકમાં છે : (૧) ગર્ભજ તિર્યંચ, (૨) મનુષ્ય.