SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર નથી (૨૫) શીત સ્પર્શવાળા નથી (૨૬) ઉષ્ણ સ્પર્શવાળા નથી (૨૭) સ્ત્રીવેદી નથી (૨૮) પુરુષવેદી નથી (૨૯) નપુંસકવેદી નથી ઇત્યાદિ ચીજોથી રહિત હોવાથી ૩૧ ગુણોવાળા કહેલાં છે. કાલે અણાઈ નિહણે જોણિ ગહણમિ ભીસણે ઇન્થ । ભમિયા ભમિહિતિ ચિરં જીવા જિણવયણમલહેતા ૫ ૪૯ ॥ ભાવાર્થ : જે જીવોને જિનેશ્વર ભગવંતોના વચનો સાંભળવા મળ્યા નથી તે જીવો અનાદિ કાળથી જીવાયોનિમાં ભમ્યા હતા. વર્તમાનમાં ભમે છે અને ભવિષ્યમાં પણ ભમશે એમ કહેલું છે.1॥ ૪૯ મ પ્રશ્ન ૫૫૩. જીવો ક્યા કારણે યોનિઓમાં ભમ્યા હતા, ભમે છે અનેભમશે ? ઉત્તર ઃ જેજીવાન નૈિશ્વર ભગવંતોના વચનોસાંભળવા મળ્યા નથી. સાંભળ્યા પછી હિતાહિતનો રિચાર કરીને પણ હિતનો સ્વીકાર અને અહિતનો ત્યાગ કરતા નથી એવા કારણથી ના યોનિઓમાં ભમ્યા હતાં. વર્તમાનકાળમાં ભમે છે અને ભવિષ્યકાળમાં પણ જ્યાં સુધી તેનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી ભમ્યા ક૨શે એમ કહેવાય છે. ૯૭ તા સંપઈ સમ્મતે મણુઅને દુલ્લહે વિ સમ્મત્તે । સિરિ સંતિ સૂરિ સિદ્ધે કરેહ ભો ઉજજન્મ ધર્મો II ૫૦ ॥ ભાવાર્થ :દુર્લભ મનુષ્ય જન્મમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતાં હે ભવ્ય જીવો શ્રી શાંતિસૂરિ મહારાજે તીર્થંકર તથા ગણધરોએ કહેલા ધર્મમાંઉદ્યમ કર્યો.પા પ્રશ્ન ૫૫૪. ન ભમવું હોય તો જીવે શું કરવું જોઈએ. ઉત્તર ઃ દશ દ્રષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય ભવને પામીને સમ્યગ્ દર્શનરૂપી ચિંતામણીરત્નને પામીને (મેળવીને) ધર્મને વિષેસારીરીતે ઉદ્યમ કરવોજોઈએ. પ્રશ્ન ૫૫૫. કેવા પ્રકારના ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ ? ઉત્તર ઃ કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી પેદા થાય એવાધર્મમાં હંમેશા ઉદ્યમ કરવોજોઈએ . પ્રશ્ન ૫૫૬. કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી કેવી રીતે પેદા થાય છે ? ઉત્તર ઃ રાગ, દ્વેષ, કષાય, મોહ, અજ્ઞાન આદિ દોષોનો નાશ થાય ત્યારે કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પેદા થાય છે.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy