________________
૧૦૬૦
બત્રીસ પ્રકારની ગણિસંપત્તિ કહ્યું છે કે, “વિદ્વાનો યૌવન વયમાં પણ મનમાં વૃદ્ધત્વ ભાવવાળા થાય છે. જ્યારે બીજા મૂર્ખઓ વૃદ્ધાવસ્થામાં પણ ચંચલ વૃત્તિવાળા હોય છે.' ૨. શ્રુતસંપદા:
૨. શ્રુતસંપદા ચાર પ્રકારે છે. ૧. યુગપ્રધાનાગમ - તે-તે યુગમાં જે ઉત્કૃષ્ટ આગમ હોય, તેના જાણકાર.
૨. પરિચિતસૂત્ર એટલે શાસ્ત્રોની ક્રમ અને ઉત્ક્રમ વાચના દ્વારા સિદ્ધાંતને સ્થિર કરેલ હોય છે.
૩. ઉત્સર્ગી એટલે ઉત્સર્ગ, અપવાદ અથવા સ્વસમય-પરસમય (સિદ્ધાંત) વગેરેના જાણકાર.
૪. સૂત્રોચ્ચારમાં ઉદાત્ત-અનુદાત્ત ઘોષ વગેરે સ્વર વિશુદ્ધિને કરાવનાર.
૧. અન્ય ગ્રંથોમાં બહુશ્રુતતા, ૨. પરિચિતસૂત્રતા, ૩. વિચિત્રસૂત્રતા, ૪. ઘોષવિશુદ્ધિકરણતા કહી છે. એનો અર્થ પણ ઉપર પ્રમાણે છે. (૫૪૨-૫૪૩)
ગાથાર્થ - શરીરસંપદા:- ૧. ચતુરસ્ત્ર, ૨. અંકુરાદિ, ૩. બહેરાશથી રહિત, ૪. તપમાં સમર્થ. વચનસંપદા :- ૧. વાદી ૨. મધુરતા ૩. અનિશ્રિતવચન, ૪. ફુટવચન. (૫૪૪)
ટીકાર્ય - ૩. શરીરસંપદાઃ શરીરસંપદા ચાર પ્રકારે છે.
૧. ચતુરસ્ત્ર સંસ્થાનવાળા એટલે સર્વ અંગોપાંગ ખામી વગરના હોવા તે. તથા લક્ષણવંત શરીરવાળા.
૨. અંકુરાદિ એટલે સંપૂર્ણ હાથ-પગ વગેરે અવયવવાળા. ૩. બહેરાશ વગેરે દોષ રહિત અર્થાત્ સંપૂર્ણ ઇન્દ્રિયવાળા. ૪. મજબૂત સંઘયણ હોવાથી બાહ્ય-અત્યંતર બંને તપમાં સમર્થ.
બીજા ગ્રંથોમાં ૧. આરોહપરિણાહયુક્ત, ૨. અનવત્રાપ્યતા - જેમનામાં ધર્મ પાલન કરવામાં લજ્જા ન હોય, અથવા સંપૂર્ણ સર્વાગ પૂર્ણ શરીર હોવાથી અલજ્જાકર શરીરવાળા તે અનવત્રાપ્ય. ૩. પરિપૂર્ણ ઇન્દ્રિયતા ૪. સ્થિરસંહનનતા કહી છે. આનો અર્થ ઉપર પ્રમાણે છે. ૪. વચનસંપદા:
૪. વચનસંપદા ચાર પ્રકારે છે :