________________
તેત્રીસ પ્રકારની આશાતનાઓ
૧૦૪૧ (૧૪) પૂર્વાલોચન - અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વહોરીને પહેલા નાના સાધુ પાસે આલોચના કરે અને પછી રત્નાધિક પાસે આલોચના કરે તે નાના સાધુએ કરેલી આશાતના છે.
(૧૫) પૂર્વોપદર્શન - અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વહોરીને પહેલા નાના સાધુને બતાવીને પછી રત્નાધિકને બતાવે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૧૬) પૂર્વનિમંત્રણ - અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વહોરીને પહેલા નાના સાધુને નિમંત્રણ કરીને પછી રત્નાધિકને નિમંત્રણ કરે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૧૭) ખદ્ધદાન - નાનો સાધુ રત્નાધિકની સાથે અશન-પાન વગેરે વહોરીને તે રત્નાધિકને પૂછ્યા વિના ઇચ્છા મુજબ જેને જેને ઇચ્છે તેને તેને આપે.
(૧૮) ખદ્ધાદન - અશન વગેરે વહોરીને રત્નાધિકની સાથે ભોજન કરનાર નાનો સાધુ સારું સારું, શાક, સંસ્કાર કરેલું, સ્વાદિષ્ટ, મનને ઇષ્ટ, મનને તૃપ્ત કરનાર, સ્નિગ્ધ, રૂક્ષ વાપરી લે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૧૯) અપ્રતિશ્રવણ - રત્નાધિક બોલાવે ત્યારે નાનો સાધુ સાંભળે નહીં અને પાસે ન જાય એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૨૦) ખદ્ધભાષણ - નાનો સાધુ રત્નાધિકની સાથે મોટા અવાજે કર્કશ-નિષ્ફર ભાષામાં બોલે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૨૧) તત્રગત - રત્નાધિક નાના સાધુને બોલાવે ત્યારે તે જે આસન પર બેસીને સાંભળે તે આસન પર બેસીને જ જવાબ આપે એ નાના સાધુએ કરેલી આશાતના છે. રત્નાધિક બોલાવે ત્યારે તેમના આસને જઈને જવાબ આપવો જોઈએ.
(૨૨) કિંભાષણ - રત્નાધિક નાના સાધુને બોલાવે ત્યારે તે “શું કહો છો?’ એમ કહે એ તેણે કરેલી આશાતના છે. રત્નાધિક બોલાવે ત્યારે તેમના આસને જઈ મયૂએણ વંદામિ કહી “આજ્ઞા ફરમાવો” એમ કહેવું જોઈએ.
(૨૩) તુંભાષણ - નાનો સાધુ રત્નાવિકને “તું” કહીને બોલાવે ત્યારે, “મને પ્રેરણા કરનારા તમે કોણ ?” એમ કહે.
(૨૪) તજ્જાતભાષણ - નાનો સાધુ રત્નાધિકને સામો જવાબ આપે એ તેણે કરેલી આશાતના છે. રત્નાધિક કહે કે, “આર્ય ! ગ્લાનની સેવા કેમ નથી કરતો?' ત્યારે નાનો