SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૪ નવપ્રકારની કોટિ પરંધાવતા નથી, ૬ રાંધનારાની અનુમોદના કરતા નથી, ૭ખરીદતા નથી, ૮ ખરીદાવતા નથી અને ૯ ખરીદનારાની અનુમોદના કરતા નથી. ગાથાસહસ્ત્રીમાં કહ્યું છે – જે સાધુ હણે નહીં, હણાવે નહીં, હણનારાની અનુમોદના ન કરે, રાંધે નહીં, રંધાવે નહીં, રાંધનારાની અનુમોદના ન કરે, ખરીદે નહીં, ખરીદાવે નહીં, ખરીદનારાની અનુમોદના ન કરે તેનું તે નવ કોટિથી વિશુદ્ધ છે. (૪૦૦, ૪૦૧) દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે – ગાથાર્થ - સંપૂર્ણ પિÖષણા સંક્ષેપથી નવ કોટિઓમાં અવતરે છે - હણે નહીં, રાંધે નહીં, ખરીદે નહીં, કરાવવા અને અનુમોદવા વડે નવ કોટિ થાય છે. (૨૪) ટીકાર્ય - ઉદ્ગમ વગેરે ભેદોવાળી સંપૂર્ણ પિષણા સંક્ષેપથી નવ કોટિઓમાં અવતરે છે. તે નવ કોટિઓ આ પ્રમાણે છે – સ્વયં હણે નહીં, રાંધે નહીં, ખરીદે નહીં, તથા બીજા પાસે હણાવે નહીં, રંધાવે નહીં, ખરીદાવે નહીં, તથા હણતા કે રાંધતા કે ખરીદતા બીજાની અનુમોદના ન કરે - આમ નવ કોટિ થાય. આ જ કહે છે – કરાવવા અને અનુમોદવા વડે નવ કોટિ થાય છે. (૪૦) ગુરુ આ નવ કોટિથી વિશુદ્ધ આહાર-પાણી ગ્રહણ કરે છે. આમ છત્રીસ ગુણોથી સમૃદ્ધ એવા ગુરુ જિનશાસનના દુશ્મનોને જીતે. (૨૯) આમ અઠ્યાવીસમી છત્રીસી સમાપ્ત થઈ. |+ fધતામા ત્ર , સમત્ત વેદવિ પુ0ાનોur . तं हारवेइ मूढो, लोइयतित्थेसु वच्चंतो ॥ કોઈક રીતે પુણ્યયોગે ચિંતામણિ જેવું સમ્યકત્વ મળ્યું. મૂઢ જીવ લૌકિક તીર્થોમાં જઈને તેને હારી જાય છે. सो परमप्पाणं वि य, पाडेइ दुरुत्तरम्म संसारे । मिच्छत्तकारणाई, जाव न वज्जेइ दूरेणं ॥ જ્યાં સુધી જીવ મિથ્યાત્વના કારણોને દૂરથી વર્જતો નથી ત્યાં સુધી તે બીજાને અને પોતાને દુઃખેથી પાર ઊતરી શકાય એવા સંસારમાં પાડે છે.
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy