________________
પચીસ પ્રકારનું પડિલેહણ
૯૦૯
કે ત્રણ વછૂટક (પાટલી) કરીને બે જંઘાની વચ્ચે પસારેલ ડાબા હાથની હથેળી ઉપર ૩-૩ આસ્ફોટક અને તેમના આંતરામાં હાથ પ્રમાર્જવા રૂપ ૩-૩ પ્રસ્ફોટક ક૨વા. અહીં આસ્ફોટક એ ‘અખોડા’ શબ્દથી પ્રસિદ્ધ છે. તે નવ છે. પ્રમાર્જનારૂપ પ્રસ્ફોટક એ ‘પખોડા’ શબ્દથી પ્રસિદ્ધ છે. તે નવ છે. આમ આ બધા મળીને મુહપત્તિ પડિલેહણના ૨૫ પ્રકાર થયા. (૯૬)'
ઓઘનિર્યુક્તિમાં પણ કહ્યું છે –
‘વસ્ત્રના આગળના ભાગને આંખથી જોઈને ત્રણ પુરિમ કરવા. પછી બીજી બાજુ જોઈને ફરી બીજા ત્રણ પુરિમ કરવા. આમ આ છ પુરિમ થયા, એટલે કે છ વાર પ્રસ્ફોટન (ખંખેરવું) થયા. પછી હાથ ઉપર કુંથવા વગેરે જીવોને નવ વાર ખંખેરવા રૂપ ખોટક કરવા અને હાથ ઉપર નવ વાર પ્રમાર્જના કરવી.’
+ दारुणाओ सलागाओ, कन्नेसु वीरसामिणो । पक्खिवंतो कहं गोवो, न हुंतं जइ कम्मयं ? ॥
જો કર્મ ન હોત તો વીરપ્રભુના કાનમાં ગોવાળ ભયંકર સળીયાઓ શી રીતે નાંખત ? वीसं वीरस्स उवसग्गा जिणिदस्सा वि दारुणा । संगमाओ कहं हुंता, न हुंतं जड़ कम्मयं ? ॥
જો કર્મ ન હોત તો વી૨ જિનેશ્વરને સંગમ થકી વીસ ભયંકર ઉપસર્ગો શી રીતે
+
ગુરુ આ પચીસ પ્રકારનું પડિલેહણ બરાબર કરે છે.
આમ છત્રીસ ગુણોના સમૂહથી વિભૂષિત ગુરુ પ્રતિવાદીઓને જીતો. (૨૮) આમ સત્યાવીસમી છત્રીસી સમાપ્ત થઈ.
+
થાત ?
वीरस्स अट्ठियग्मामे, जक्खाओ सूलपाणिणो ।
अणाओ कहं हुंता, न हुंतं जइ कम्मयं ? ॥
જો કર્મ ન હોત તો અસ્થિકગ્રામમાં વીરપ્રભુને શૂલપાણિ યક્ષ તરફથી વેદનાઓ શી રીતે થાત ?