SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૨ આઠ પ્રકારના સૂફમજીવો અને અનુબંધ એમ ત્રણ પ્રકારે હિંસા હોય છે અને ત્રણ પ્રકારે અહિંસા પણ હોય છે. એમાં સ્વરૂપનું = તે તે જીવના શરીરનું સંરક્ષણ કરવું તે સ્વરૂપસંરક્ષણ કહેવાય. કવિ શબ્દથી અનુબંધ સંરક્ષણાદિ લઈ શકાય. આ સ્વરૂપસંરક્ષણાદિ એ પોતાની શક્તિને અનુરૂપ કરવાના છે.) એ સાધુનાં વિશેષણો આ પ્રમાણે છે. અપ્રમત્ત = નિદ્રાદિ પ્રમાદોથી રહિત. સર્વેન્દ્રિયસમાહિત એટલે શબ્દાદિમાં રાગદ્વેષને ન પામતો. આવો સાધુ સર્વકાળ મન, વચન, કાયાથી સંરક્ષણનો યત્ન કરે. (૮/૧૬) (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આ આઠ સૂક્ષ્મોનો બીજાને સારી રીતે ઉપદેશ આપે છે. આમ છત્રીસ ગુણોરૂપી ધનથી શ્રીમંત એવા ગુરુ જગતના ભાવદારિયને દૂર કરો. (૧૮) આમ સત્તરમી છત્રીસી પૂર્ણ થઈ. ___आत्मन्येव हि नेदिष्ठे, निरायासे सुखे सति । किं ताम्यसि बहिर्मूढ, सतृष्णायामिवैणकः ॥ જેમ હરણ ઝાંઝવાના નીરની પાછળ દોડે છે તેમ આત્મામાં જ મહેનત વિનાનું સુખ ખૂબ જ નજીક હોવા છતાં તે મૂઢ શા માટે બહાર ખેદ પામે છે? प्रियाप्रियव्यवति-वस्तुनो वासनावशात् । अङ्गजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसम्मतम् ॥ આ વસ્તુમાં પ્રિય અને અપ્રિયનો વ્યવહાર થાય છે તે વાસનાને (ભાવનાને) લીધે. શરીરમાંથી પેદા થયા હોવા છતાં પુત્ર પ્રિય છે અને જૂ-લીખ પ્રિય નથી. नष्टे वस्त्रे यथात्मानं, न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं, न नष्टं मन्यते बुधः ॥ જેમ વસનો નાશ થવા પર માણસ પોતાનો નાશ થયેલો નથી માનતો તેમ પંડિત પોતાનું શરીર નાશ પામવા છતાં પણ પોતાનો નાશ થયેલો નથી માનતો.
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy