SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ દસ પ્રકારનો વિનય વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકાર છે. તેમાં કાયિકવિનય આઠ પ્રકારે, વાચિકવિનય ચાર પ્રકારે અને માનસિકવિનય બે પ્રકારે છે. તેની પ્રરૂપણા આ પ્રમાણે છે - (૪) કાયિકવિનયના આઠ પ્રકાર આ પ્રમાણે છે – (૧) અભ્યુત્થાન - અભ્યુત્થાન એટલે ઊભા થવું. અભ્યુત્થાન કરવાને યોગ્ય વગેરે આવે ત્યારે ઊભા થવું. (૨) અંજલિબંધ – ગુરુને પ્રશ્ન કરવો વગેરે પ્રસંગે અંજલિ જોડવી (બે હાથ જોડવા). (૩) આસનપ્રદાન - શ્રુતવૃદ્ધ વગેરેને બેસવા માટે આસન આપવું. (૪) અભિગ્રહ - ગુરુ વગેરેના આવશ્યક કાર્યોને કરવાનો નિશ્ચય કરવો અને સાક્ષાત્ તે કાર્ય કરવું. (૫) કૃતિકર્મ - સૂત્રના અર્થનું શ્રવણ કરવું વગેરે પ્રસંગે વંદન કરવું. (૬) શુશ્રુષા - ગુરુની બહુ નજીકમાં ન રહેવું અને બહુ દૂર ન રહેવું એ રીતે મર્યાદાથી વિધિપૂર્વક ગુરુ વગેરેની સેવા કરવી. (૭) અનુગમન - ગુરુ વગેરે આવતા હોય ત્યારે તેમને લેવા સામે જવું. (૮) સંસાધન – ગુરુ વગેરે જાય ત્યારે તેમને વળાવવા જવું. (૫) વાચિકવિનયના ચાર પ્રકાર આ પ્રમાણે છે - (૧) હિતવચન – પરિણામે સુંદર હોય તેવું હિતકર વચન બોલવું. (૨) મિતવચન – જરૂર પૂરતું, થોડા શબ્દોવાળુ વચન બોલવું. (૩) અપરુષવચન - કઠોર ન હોય તેવું વચન બોલવું. (૪) અનુવિચિંત્યભાષણ-સારી રીતે વિચારીને બોલવું. માનસિકવિનયના બે પ્રકાર આ પ્રમાણે છે - (૧) અકુશલમનોનિરોધ - આર્તધ્યાન વગેરેથી ખરડાયેલા મનનો નિરોધ કરવો, એટલે કે મનને અશુભધ્યાનથી રોકવું. (૨) કુશલમનોદીરણા - મનને ધર્મધ્યાન વગેરે શુભ ભાવોમાં પ્રવર્તાવવું. (૬) પ્રતિરૂપવિનય પોતાના સિવાય અન્ય મુખ્ય વ્યક્તિને અનુસરવારૂપ જાણવો. કેવળીઓને અપ્રતિરૂપવિનય જાણવો, એટલે કે તેઓને પ્રતિરૂપવિનય ન કરવારૂપ વિનય હોય છે. (૭)
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy