________________
શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિ
૩ જ્યાં સુધી ભેગની ભયંકરતા હૃદયમાં વસતી નથી, ત્યાંસુધી તીર્થંકર પ્રણીત તત્ત્વની તાલાવેલી લાગતી નથી. ! ! !
૪ ભોગી (સર્પ) વિષથી વ્યાપ્ત છે, જ્યારે ગિ મનુષ્ય વિષયથી વ્યાપ્ત છે ! ! !
૫ વિષમાં અને વિષયમાં એક માત્રાનું પ્રમાણ વધુ છે ! ! !, અર્થાત્ તેમાં પાપમય પરાક્રમ કરવા-કરાવવાની પરાકાષ્ઠા છે ! ! !
૬ વિષ એ એક અંદગીને ખરાબ કરે છે, જ્યારે વિષય અનેકાનેક અંદગીઓને વ્યર્થ બનાવે છે ! ! ! ૭ સ્મરણ માત્રથી અનેકાનેક મરણ ની પજાવવાની શકિત કેવળ વિષયે અખત્યાર કરેલી છે !!! ૮ વિષયકાળના વિષમ વાતાવરણમાં વિષય-કીટકોને વિવેક દુઃપ્રાપ્ય છે ! ! ! ૮ વિક્રાળ-સ્વરૂપધરિ વિષ્ણ-પિપાસુઓ વિષય માટે અનેક પ્રકારે વલખાં મારે છે ! ! ! 1. પરિણામે અત્યંત દુ:ખદાય વિષય-દાહ ભભવ ભડકાની જેમ ભભૂકતો રહે છે ! ! ! ૧૧ ભાગની પાછળ ભમનારાઓને ભોગનું ભયંકર દર્શન કરવું પડે છે ! ! ! - ૧૨ ભ્રમિત મગજવાળાની જેમ ભેગ-મનુષ્યના મુખમાંથી અનેક વખત “ભગ લાગ્યા,” “ભગ લાગ્યા” એ શબ્દો નીકળ્યા જ કરે છે. ! !! - ૧૩ ભેગને રોગ સમજીને ભેગથી દૂર ભાગનારાઓની પાછળ બેગ ભૂતની જેમ ભટકે છે ! !
૧૪ ભોગની પાછળ ભગીરથ-પ્રયત્ન કરનારાઓને સર્વત્ર સદાકાળ સર્વથા મહામુશીબતના મહા તે કાનમાં મુંઝાવું પડે છે ! ! ! ૪. અલૌકિક-દર્શન.
મિથ્યાત્વના મહાન–અંધકારમાં મુંઝાયલાઓ, અવિરતિના ઉંડા અંધારફૂપમાં આંખ મીંચીને આંટા મારનારાઓ, કષાયરૂપ કીચ્ચડના કોહવાટથી કાયર થયેલાએ; તથા શ્રી સર્વજ્ઞ-કથનથી વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃત્તિમાં દેડધામ કરનારાઓ ચાર ગતિરૂપ ભયંકર સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે !, અર્થાત વર્તમાનમાં રખડે છે, ભૂતકાલમાં રખડયા, અને ભવિષ્યમાં રખડશે એ નિસંશય વાત છે. આવી રખડપટ્ટીમાંથી બચવા માટે એટલે કે આત્માના ઉધ્ધારાર્થે સમ્યકત્વનું સેવન, વિરતિનું હાલપૂવક આલિંગન, નિષ્કષાયરૂપ નિર્માલ-નીરમાં નિમજજન; અને ત્રણે યોગનું સ્થિરીકરણ કરવા માટે સમર્થ એવા મોંઘામાં મેંઘા માનવ જીવનની પ્રાપ્તિ થઈ છે તેને સફળ કરે, અર્થાત્ આ શિવાય માનવ જીવનની સલતા નથી, અને આ આત્માનો ઉદ્ધાર પણ નથી જ!!!
જગતુમાં એવું કોઈ રાજ્ય નથી, એ કઈ રાજા નથી, એ કોઈ અધિકારી નથી, અથવા એવા કોઈ કાયદા નથી કે જે પ્રજા પર અંકુશ રાખવા માટે પ્રજાની વસ્તીના પ્રમાણ કરતાં વધુ લશ્કર રાખી શકે. છતાં અનાદિ-અનંત-કાલથી એકજ રાજ્ય એવું છે, અને એ એકજ રાજા એ છે કે જેણે તેના અજબ અધિકારીઓ અને આશ્ચર્યજનક કાયદા, કાનૂન તથા ઓર્ડીન દ્વારા, અસંખ્યાત દેશી એવા એકે એક આત્માઓ પિતાના પંજામાંથી ન છટકે તે માટે તેના એકેએક પ્રદેશ પર અનંતી અવંતી વગણારૂપ લઅર ગોઠવેલું છે. આ લશ્કર દરેક દરેક આત્માના અસંખ્યાત પ્રદેશ પૈકી એકેએક પ્રદેશ પર ગોઠવાયેલું છે !!!