SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [ વત ૨૦ હવે જે કદાપિ તે તિથિઓ સૂર્યોદયથી યુકત ન મળે તે ક્ષીણતિથિ યુક્ત પૂર્વની તિથિ ક્ષીણતિથિની સંશાવાળ પણ બને છે. ક્ષીણતિથિ યુક્ત પર્વની તિથિ પૂર્વતિથિના નામવાળી જ રહે એમ નહિ પણ તેને ઉત્તર એટલે ક્ષીણતિથિની સંજ્ઞા પણ અપાય છે.” મતલબ એ છે કે સૂર્યોદયવાળી તિથિ ન મળે ત્યારે તે તિથિ જેમાં સમાયેલી છે તે પૂર્વતિથિ લેવી. વિરોધને પરિહાર. પહેલાં તેરસને તેરસ એવા નામને પણ અસંભવ જણાવી ચૌદશજ કહેવાય ” એ પ્રમાણે કહ્યું. અને અહીં તમે “ક્ષીણતિથિની સંજ્ઞાવાળી પણ કહેવાય'-એ પ્રમાણે કહેવા માગે છે, તે આ પરસ્પર વિરોધ કેમ ન ગણાય ? આને જવાબ એ છે કે-“અમે પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં કહેલું હેવાથી વિરેાધ આવતો નથી અથવા “મૂખ્ય અને ગૌણના ભેદથી તેરસ હોવા છતાં મૂખ્યપણે ચૌદશ જ કહેવાય એવો અમારે અભિપ્રાય હેવાથી કશે જ વિરોધ નથી. શાસ્ત્રકાર આથી સિદ્ધ કરે છે કે ક્ષયને બદલે પૂર્વતિથિને ક્ષય કરવાનું નથી, પણ અષ્ટમ્યાદિને ક્ષય હોય ત્યારે ઉદયતિથિ સહભ્યાદિ હોય છતાં તેને મૂખ્ય ભેદે સહભ્યાદિ નહિ બેલતાં ક્ષય પામેલી અષ્ટમ્યાદિ રૂપે બોલાય છે, કારણ કે-સાતમ કરતાં આઠમ પ્રધાન છે. તમારે જે, શાસ્ત્રના સત્ય અર્થને માનવે જ હોય તે આ પાઠને ખાસ પાઠે કિંવા પાઠાન્તરનાં સ્થલ હજી આગળ પણ અમારે બતાવવાં પડશે. તે એટલા જ માટે કે-ગ્રંથકાર મહારાજને ન્યાય આપવાની અમારી ફરજ અદા થાય.
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy