SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૭ મો] ૧૬૯ વધેલી પતિથિમાં પણ પહેલી અભિવર્ધિત તરીકે ગણાશે અને બીજી ઉપગમાં લેવાશે. ઉદયતિથિઓને વિરાધવાનું મહા પાપ વહેરવાની તમે પુણ્યશાલીઓને કાંઈ જરૂર નથી. અભિવતિ માસ સંબંધી ચર્ચા આ ગ્રન્થમાં આગળ ગાથા ૨૨ માં આવશે, તેમાં તેને લગતી શંકાઓનાં સમાધાન કરાશે જ, માટે અહીં વિશેષ કહેતા નથી. પાંચમ અને પૂનમ-અમાસ પર્વવિથિઓ હોવા છતાં ચોથ-વૈદશ તેના કરતાં પણ મોટી છે, એમાં તે તમે પણ ના પાડતા નથી. શાસ્ત્રવિધિ કે જેને આદર કરવાથી પાછળ જણાવ્યા મુજબ બનેનું માન જળવાય છે, તેને તમે તમારી મતિકલ્પનાથી અનાદર કરીને જ્યારે એકલી પંચમી આદિનું માન જાળવવાની ધુનમાં ચોથ-ચૌદશના અપમાનની દરકાર કરતા નથી, ત્યારે શ્રી નિશીથભાષ્ય-ચર્ણિમાં પિતાની મતિકલ્પનાથી આજ્ઞાને અનાદર કરવાથી, ભયંકર શીક્ષા પામેલા ગ્રામ્ય કેને એક કરૂણ પ્રસંગ જે વર્ણવેલ છે તે અમને અહીં યાદ આવ્યા વિના રહેતું નથી તે પ્રસંગ એ છે કે – આજ્ઞાના અનાદર ઉપર ગ્રામલેકનું દ્રષ્ટાંત. “ચંદ્રગુપ્ત રાજા થયા પછી “એ મારપષક છે એવું જે ક્ષત્રિય જાણતા હતા, તેઓ તેમની આજ્ઞાને પરાભવ ७२-" भत्तमदाणमडते आणट्ठवणं पि छेत्तु वंसवती गविसण पत्त दरिसिते पुरिसवति सबालडहणं च" ॥ (नि મા૩. –૪)
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy