________________
કંઈ કે
પૂર્વના મહાપુરુષાએ આપણા ઉપર કેવળ ઉપકાર કરવાની હિતબુદ્ધિથી આગમામાંથી સારને ગ્રહણ કરી સહેલાઇથી ખાલજીવા ગ્રહણ કરી શકે તે રીતે સરળભાષામાં પ્રકરણેાની રચના કરી છે. આ પ્રકરણા મુમુક્ષુ તથા સંયમી આત્માઓને સચમમાં સ્થિર કરવામાં અતિ ઉપયાગી અને આલંબનરૂપ છે. માટે અનેક પ્રકારના વૈરાગ્યરસથી ભરપૂર એવા આ પ્રકરણાને અર્થ સાથે કઠસ્થ કરી સંયમમાં સ્થિર મની જીવનમાં અમલી બનાવી આત્મસાત્ કરી પરમાત્માની આજ્ઞાને વફાદાર બની વહેલામાં વહેલા મુક્તિપદને પામે એજ મ’ગલકામના.
લિ. સિદ્ધાન્તનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય ભગવ`ત શ્રીમદ્વિજય સામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય આચાય વિજયસેામસુંદરસૂરિ