________________
૨૦
જે ગ૭માં આઠ કર્મોથી મુક્ત અને ઈન્દ્રોથી પૂજાએલા એવા શ્રી ઋષભાદિક તીર્થકરોની આજ્ઞા અખંડ પળાય છે, ખૂલના પામતી નથી, તે ગ૭ને ગચ્છ જાણ. (૫૩)
જે ગચ્છમાં જેના દાંત પણ પડી ગયા હોય તેવા સ્થવિર ઘરડા સાધુ પણુ, સાધ્વીની સાથે વાત કરતા નથી અને ગૃહસ્થની સ્ત્રીઓ સાથે આહાર વહેરવા વગેરે કારણે બેલવાના પ્રસંગે તેના અંગે પાંગ વગેરે અવયવને જેતા નથી, નીચી દૃષ્ટિ રાખે છે, તેને ગચ્છ કહીએ. (૫૪). સાધુને સાધ્વીને પરિચય તજવા ઉપદેશ આપે છે. वज्जेइ अप्पमत्तो, अज्जासंसग्गि अग्गिविससरिसी। अज्जाणुचरो साहू, लहइ अकित्ती खु अचिरेणं ॥५५।।
અર્થ - ઉત્તમ સાધુએ અગ્નિ અને ઝેરના સંસર્ગ જે સાવીને સંસર્ગ (પરિચય) અપ્રમત્ત થઈને તજ જોઈએ, ભૂલથી પણ ન કરવું જોઈએ. (કારણકે) સાવીને પરિચય કરનાર સાધુ (ત્રતથી ભ્રષ્ટ ન થાય તોય) અલ્પકાળમાં જ અપયશને (તે) પામે જ છે. (૫૫)
બ્રહ્મચર્યને મહિમા. जो देइ कणयकोडिं, अह्वा कारेइ कणयजिण भवणं । तस्स न तत्तिय पुन, जत्तिय बंभव्यए धरिए ॥५६॥
અર્થ - જે કઈ મનુષ્ય સુવર્ણની કેટિ, અર્થાત્ કોડે રૂપિયાની કિંમતનું સુવર્ણ યાચકોને દાનમાં આપે, અથવા સેનાનું જિનમંદિર કરાવે, તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મચર્યવ્રત ધારણ કરવાથી થાય છે. (૫૬)