SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) નવમી છત્રીશી ૧૦ પ્રકારના અસંવરથી રહિત ૧૦ પ્રકારના સંક્લેશથી રહિત ૧૦ પ્રકારના ઉપઘાતથી રહિત ૬ પ્રકારના હાસ્ય વગેરેથી રહિત કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. છ ૧૦ પ્રકારના અસંવ૨ ૯ (૧-૫) ૫ ઈન્દ્રિયોનો અસંવર :- ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં થતાં રાગ-દ્વેષને ન રોકવા તે. (૬-૮) ૩ યોગોનો અસંવર :- મન, વચન, કાયાની અકુશલપ્રવૃત્તિને ન રોકવી તે. (૯) ઔક્ષિક ઉપધિનો અસંવર :- શાસ્ત્રમાં કહેલા સંખ્યાથી અને પ્રમાણથી વિપરીત કે અકલ્પ્ય વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને ગ્રહણ કરવા, અથવા જ્યાં ત્યાં વેરવિખેર પડેલા વસ્ત્ર-પાત્રાદિને યથાસ્થાને ન મૂકવા તે. (૧૦) ઔપગ્રહિક ઉપધિનો અસંવર :- સોય, નખરદની (નેલકટર), અસ્ત્રો વગેરે શરીરનો ઉપઘાત કરે તેવી અણીવાળી વસ્તુઓ અને બીજી ઔપગ્રહિક ઉપધિને સુરક્ષિત ન રાખવી તે. ∞ ૧૦ પ્રકારના સંક્લેશ ર (૧) ઉપધિસંક્લેશ ઃ- સારી કે ખરાબ ઉપધિમાં રાગ-દ્વેષ થવા તે. (૨) ઉપાશ્રયસંક્લેશ ઃ- સારા કે ખરાબ ઉપાશ્રયને વિષે રાગ-દ્વેષ થવા તે. (૩) કષાયસંક્લેશ : - ક્રોધાદિ કષાયોને વશ થવું તે. ઃ : (૪) આહારસંક્લેશ :- આહારાદિમાં રાગ-દ્વેષ થવા તે. (૫) મનસંક્લેશ મનથી રાગ-દ્વેષ થવા તે. (૬) વચનસંક્લેશ :- વચનથી રાગ-દ્વેષ થવા તે. (૭) કાયસંક્લેશ ઃ- કાયાથી રાગ-દ્વેષ થવા તે. ...૧૨... ૧૦ પ્રકારના અસંવર, ૧૦ પ્રકારના સંક્લેશ
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy