SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) કેવળજ્ઞાન :- લોકાલોકના સર્વદ્રવ્યોના ત્રિકાલિક સર્વ પર્યાયો એક સમયે એક સાથે જેનાથી જણાય તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાનના ૬ અર્થ : ...૧૩૨... (૧) શુદ્ધ :- તે જ્ઞાનાવરણ કર્મના આવરણથી સંપૂર્ણ રહિત છે. તેથી શુદ્ધ છે. (૨) સકલ :- તે ઉત્પન્ન થતાંની સાથે બધુ જાણે છે. તેથી સકલ છે. (૩) અસાધારણ :- તેના સમાન બીજું કોઈ જ્ઞાન નથી. તેથી અસાધારણ છે. (૪) અનંત :– તે અનંત વસ્તુને જાણે છે અથવા અનંતકાળ રહે છે. તેથી અનંત છે. (૫) નિર્માઘાત :- તે કોઈપણ જાતના વ્યાઘાતથી રહિત છે. તેથી નિર્વ્યાઘાત છે. (૬) એક ઃ- તે મતિજ્ઞાન વગેરે ચાર શાનોથી રહિત છે. તેથી એક છે. * * આ સંસારમાં સર્વોત્તમ કાર્ય ક્યું ? પ્રભુ સિવાયની બીજી કોઈપણ બાબત તરફ મને વળગવા માગતું હોય તો ત્યાંથી તેને પાછું વાળીને આપણી જાતને તેમાં પડતી બચાવવી એ જ આ સંસારમાં સૌથી ઉત્તમ કાર્ય છે. જેણે પ્રભુભક્તિનો રસ ચાખ્યો છે તેને અન્ય બાબતોમાં રસ નથી. જે જે દિવસ-રાત્રિ-ક્લાક-મિનિટ ધર્મકાર્યમાં-સત્કાર્યમાં જાય છે તે તે સફળ થાય છે. ૫ જ્ઞાન
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy