________________
(30) ત્રીશમી છત્રીશી
૨૯ પ્રકારના પાપશ્રુતને દૂરથી વર્જનારા ૭ પ્રકારના શુદ્ધિના ગુણને જાણનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. ૦ ૨૯ પ્રકા૨ના પાપશ્રુતો જ
પાપના કારણભૂત શ્રુત તે પાપશ્રુત. તે ૨૯ પ્રકારે છે. તે આ પ્રમાણે - નિમિત્તશાસ્ત્રના આઠ અંગો છે :
(૧) દિવ્ય :- વ્યંતરાદિ દેવોના અટ્ટહાસ્ય વગેરેના ફળનું વર્ણન જેમાં હોય તે.
(૨) ઉત્પાત ઃ- લોહીના વરસાદ વગેરેના ફળનું વર્ણન જેમાં હોય તે. (૩) અંતરીક્ષ :- આકાશમાં થતાં ગ્રહોના ભેદ વગેરેના ફળનું વર્ણન જેમાં હોય તે.
(૪) ભૌમ :- ભૂમિકંપ વગેરે પૃથ્વીના વિકાર જોઈને જ એના ફળને જણાવે તે.
(૫) સ્વપ્ન :- સ્વપ્નનું ફળ જણાવે તે.
(૬)
સ્વર :- ‘ષડ્ઝ' વગેરે સ્વરો અને પક્ષિઓ વગેરેના સ્વરોનું ફળ જણાવે તે.
(૭) વ્યંજન :- શરીર ઉપરના મસા, તલ વગેરે ઉપરથી તેનું ફળ જણાવે તે. લક્ષણ :- અવયવોની રેખાઓ ઉપરથી તેમનું ફળ જણાવે તે. આ આઠે અંગોના દરેકના ત્રણ-ત્રણ ભેદો છે
(૮)
-
(i) સૂત્ર :- મૂળગ્રંથ.
(ii) વૃત્તિ :- સૂત્રના અર્થનું સંસ્કૃતમાં વિસ્તૃત વિવરણ. (iii) વાર્તિક :- વૃત્તિના કોઈ કોઈ ભાગનું વધુ સ્પષ્ટીકરણ.
આમ ૮ ૪ ૩ =
૨૪ પાપશ્રુત થયા.
-
મતાંતરે અંગ – ‘પુરુષોનું જમણું અંગ ફરકે અને સ્ત્રીઓનું ડાબું અંગ ફરકે તો શુભ થાય.' વગેરે જણાવે તે.
...૧૨૨...
૨૯ પ્રકારના પાપશ્રુતો