SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૭ ) અનંતસુખ ને અનંતવીર્ય –એ ચારને જ સારભૂત લેખે -લેખવે અને તે મેળવવાને જ અહર્નિશ પ્રયત્ન કરે. ૪ અનંત આતમમાંહી રહેતા, પરમાતમને ધ્યાતા રે; ભણે મણિચંદ્ર તેહને નમીએ,આપસ્વભાવમે રાતા રે.જેપ અ—અંતરાત્મા થઇને રહેનારા આત્માનુભવી જીવ પરમાત્માને ધ્યાતા સતા આત્મસ્વભાવમાં જ રમણ કરે. કર્તા મુનિ મણિચંદ્ર કહે છે કે તેવા ઉત્તમ જીવને આપણે નમીએ-નમસ્કાર કરીએ કે જેથી આપણને પણ અંતરાત્માપણું પ્રાપ્ત થાય. જે જીવ સાંસારિક—પાગલિક સુખમાં આસક્ત હાય અને અનેક પ્રકારના પૌદ્ગલિક સુખા મેળવવાના અભિલાષી હેાય તે બહિરાત્મા કહેવાય છે અને જે જીવ સાંસારિક સુખની પ્રાપ્તિ થયા છતાં તેમાં આસક્ત ન થાય, તેને અસ્થિર જાણીને તેમ જ પિરણામે દુઃખ આપનાર જાણીને તેનાથી લૂખા રહે અને નવા પાલિક સુખા મેળવવાના પ્રયત્ન ન કરે, પણ આત્મિક સુખ-પરમાત્મભાવ પ્રાપ્ત કરવાની જ ઈચ્છા કરે તેને માટે યથાશક્તિ પ્રયત્ન કરે તે અંતરાત્મા કહેવાય છે–આત્માનુભવી જીવ એવુ અંતરાત્માપણુ મેળવવાને કાયમ ઇચ્છે એમ સમજવુ. ૫ સજ્ઝાય બીજી ( રાગ કેદારા ) આતમ અનુભવ જેહને હાવે, ચારે ચિત્ત નિજ જાણે રે; વિક્ષિપ્ત જાતાયત સુશ્લિષ્ટ ને, સુલીનતાએ લય આણે રે. આ૦ ૧ અ—જે જીવને આત્માના અનુભવ થયા હાય તે જીવ પેાતાના ચિત્તના ચારે પ્રકારને–ચારે પ્રકારની દશાને જાણે. તે
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy