SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૪) અર્થ –(૩) સર્વે (ગુના) શત્રુ લોકો (7) મત્સરભાવને (પદાર) તજીને (જુવિના ) સુખી થાઓ, તથા ( અમી) એ શત્રુઓ ( રાવરીયા ) મોક્ષસુખરૂપી ઘર પ્રત્યે (તુમન ) જવાની ઈચ્છાવાળા પણ (aq) થાઓ. ૫. જ્યારે હૃદયમાં આ વિશાળ ભાવ આવે, જ્યારે શત્રુ ઉપર સાચો સમભાવ આવે, જ્યારે શત્રુનું પણ સારું થાઓ એ અંતરને આશય વ્યક્ત થાય ત્યારે સાચો મિત્રીભાવ પ્રગટ થાય છે. મૈત્રી ભાવનાવાળા કેઈને શત્રુ માનતો જ નથી. અંતરંગ શત્રુ પર વિજય મેળવી શિવપુરીપ્રાપ્તિ માટે પ્રેરિત મનવાળા થાઓ. અંતરથી દુશ્મનને પણ સુખ અને મુક્તિ ઈચ્છવી એ અસાધારણ ઉચ્ચ ભાવના છે. આ વિશિષ્ટ ભાવના લખી જવી કે વાંચી જવી જેવી સહેલી છે તેટલી ક્રિયામાં મૂકવી સહેલી નથી. પણ કરવા ગ્ય છે, તેથી અંતરથી દુશ્મનને પણ સુખ ઈચ્છવું. ૫. सकृदपि यदि समतालवं, हृदयेन लिहन्ति । विदितरसास्तत इह रति, स्वत एव वहन्ति ॥ वि० ॥६॥ અર્થ:-(ર) જે સંસારી જીવો ( વિ) એક વાર પણ (રમતાં ઝર્વ ) સમતા રસના લેશને ( દૃન ) હૃદયવડેભાવનડે (હિતિ) આસ્વાદન કરે, (તત) તો (વિવિતા ) જાણ્યો છે સમતારસ જેણે એવા સતા () આ સમતારસને વિષે (સ્વતઃ પ્રવ) પિતાની મેળે જ તે (ર્તિ) પ્રીતિને (ત્તિ) પામે. ૬. અફીણના વ્યસનની જેમ જે સમતારસનું વ્યસન પડી જાય તે પછી જીવન સમતામય થઈ જાય, પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની સમતા અંતઃકરણપૂર્વકની જોઈએ. પછી એની મેળે
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy