________________
૨૦૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આ બાજુ તે અચલ પણ પારસકુલમાં ઘણું ધન કમાઈ ઉંચી કોલેટી (જાતિનો)નો માલ ભરી બેન્નાતટ આવ્યો. બહાર રહ્યો. લોકોને પૂછયું અહીંના રાજાનું શું નામ છે ? લોકોએ કહ્યું વિકમરાજા ત્યારે મગ-મોતી વિદ્ગમ, પ્રવાળા નો થાળ ભરી રાજાને ભેટવા (માળવા) ગયો. રાજાએ આસન આપ્યું. અને બેઠો. અરે ! તે આ અચલ ક્યાંથી ? એ પ્રમાણે ઓળખી લીધો. પણ અચલે તો રાજાને ઓળખ્યો નહિ.
- રાજાએ પૂછયું, ઓ શેઠ કયાંથી આવ્યા ? તેણે કહ્યું પારસકુલથી યથોચિત (પ્રતિપત્તી) સેવાથી સન્માન કરાયેલ અચલે કહ્યું હે દેવ ! કોઈક ઉપરીને (ઉંચા હોદ્દાવાળાને) મોકલો. જે માલ તપાસી લે ! રાજાએ કહ્યું જહાજનાં કૌતુકથી હું જાતે જ આવીશ. ત્યારે પંચકુલની સાથે રાજા ત્યાં ગયો. શંખ (એક જાતનું સુગંધી દ્રવ્ય), સોપારી, ચંદન, અગરુ, મજીઠ વિ. માલ જોયો. પંચકુલની સમક્ષ રાજાએ પૂછયુ ઓ શેઠ ! આટલોજ માલ છે ? તેણે કહ્યું આટલોજ છે; રાજાએ કહ્યું ઓ શેઠ! બરાબર કહી દો; કારણ કે મારા રાજ્યમાં ટેક્સની) જકાતની ચોરી કરનારને દેહદંડની સજા થાય છે. અચલે કહ્યું શું રાજા આગળ વળી જુઠું બોલાતું હશે ? રાજાએ કહ્યું એમ છે તો કહેલાનું અડધુ દાન કરો. પણ ગુણો મારી સમક્ષ તોલો, પંચકુલે તોલ્યા, ત્યારે ભારથી, પાદ પ્રહારથી, જમીનને ખરોસ (ચીરા) પડવાથી મજીઠ વિ. માં રહેલો સારભૂત માલ જણાઈ આવ્યો. તેથી ગુણો ખોલાવીને જોઈ. ત્યારે બરાબર જોયું તો કોઈકમાં સોનું, કોઈકમાં ચાંદી, કોઈકમાં મણિ-મોતી, પ્રવાલા વિ. મૂલ્યવાન માલ જોયો. તે જોઈ ક્રોધે ભરાયેલો રાજાએ પોતાનાં પુરુષોને આદેશ કર્યો.
અરે ! આને બાંધો ! આ પ્રત્યક્ષ ચોર છે. રાજાનાં વચનથી તેઓએ થરથરતા હૃદયવાળા એવા અચલને તુરંત બાંધ્યો. આરક્ષકને સોંપી રાજા વાહન વડે પોતાનાં ભવનમાં ગયો. આરક્ષક તેને રાજા પાસે લઈ આવ્યો. મુશ્કેટાટ બંધાયેલો જોઈ રાજાએ કહ્યું “અરે આને જલ્દી છોડો.” તરતજ છોડી મૂક્યો. રાજાએ પૂછયું હે સાર્થવાહ પુત્ર ! મને ઓળખ્યો? તેણે કહ્યું હે રાજન! સઘળી ધરતી ઉપર પ્રખ્યાત થશવાળા મહારાજા આપને કોણ ન ઓળખે ? રાજાએ કહ્યું ઉપચાર વચનો રહેવા દે. જો જાણતો હોય તો સ્પષ્ટ બોલ. સાચું કહું તો હે રાજન ! હું આપને નથી ઓળખતો. ત્યારે રાજાએ દેવદત્તાને બોલાવી; શ્રેષ્ઠ અપ્સરાની જેમ સર્વ અંગે આભરણોથી શોભિત દેવદત્તા આવી. અચલે ઓળખી અને મનમાં ઘાગો શરમાયો.