________________
શ્રી: સમવસરણ પ્રકરણું.
૨૩૩
ત્રીજે (જો) ગઢ આવે છે. (જે) ત્યારપછી (વાર્દિ ) એક કોસ-ગાઉ અને ( છરિચયg ) છ ધનુષ પ્રમાણુની (વઢ) ત્રીજા ગઢની વચ્ચેની પીઠ એટલે સમાન ભૂમિ આવે છે. ૮. (આ બંને ગાથાની હકીકત વૃત્ત સમવસરણ માટે જાણવી.) चउदार तिसोवाणं, मज्झे मणिपीढयं जिणतणुच्छं । दो धणुसय पिहुदीहं, सड्डदुकोसहिं धरणिअला ॥ ९ ॥
અથ–(મ) તે સમાન ભૂમિની મધ્યે (જાર) ચાર દ્વાર અને (તિનોવાળું) ત્રણ ત્રણ પગથિયાવાળી (વિગતગુર્જ) જિનેશ્વરના શરીર જેટલી ઊંચી (મળવીઘં) મણિપીઠિકા હોય છે. તે (જો ધપુર ) બસો ધનુષ (વિદુરીજું ) પહોળી અને લાંબી–ચેરસ હોય છે, અને (ધfજત્રા) પૃથ્વીતળથી (હૃદુસર્દિ) અઢી કેશ ઊંચી હોય છે. (ત્રણ ગઢના મળીને કુલ વીશ હજાર પગથિયા હેવાથી પાંચ હજાર ધનુષ એટલે અઢી કેસ થાય છે. ) ૯. जिणतणुबारगुणुच्चो, समहिअजोअणपिहू असोगतरू। तयहो य देवच्छंदो, चउ सीहासण सपयपीढा ॥ १० ॥
અર્થ:-( નિબત્તpaggો) જિનેશ્વરના શરીરથી બારગુણ ઊંચે અને (રોમfપદ) એક જનથી કાંઈક અધિક પહોળો-વિસ્તારવાળો (અત) અશોક વૃક્ષ હોય છે, (૨) અને (તો) તેની નીચે (કેવો ) દેવચ્છેદક હોય છે. તેની ઉપર (કપરા ) પાદપીઠ સહિત (૨૪ રાવળ ) ચાર સિંહાસન હોય છે.
વિવેચન –ઋષભદેવના સમવસરણમાં આ અશોક વૃક્ષ ત્રણ ગાઉ ઊંચે હોય છે. બીજા બાવીશ પ્રભુના સમવસરણમાં પણ તે જ પ્રમાણે તેમના શરીરથી બારગુણે ઊંચા હોય છે અને વીર ભગવાનના સમવસરણમાં રહેલા અશોક વૃક્ષ બત્રીશ ધનુષ ઊંચો કહ્યો છે. તે આ પ્રમાણે–વીર પ્રભુનું શરીર સાત હાથ એટલે પોણા બે ધનુષ ઊંચું હોવાથી પોણું બેને બારગુણ કરતાં એકવીશ ધનુષ થાય,
૧ બત્રીશ ધનુષ ઊંચે અશોક વૃક્ષ પાંચ સો ધનુષ ઊંચી ગઢની ભીંતાની બહાર નીકળી શકે નહીં તેથી જે પ્રભુના શરીરને ૧૨ ગુણું કરતાં ૫૦૦ ધનુષ ન થાય ત્યાં પ્રભુના અતિશયથી બહાર નીકળે એમ માનવું. અથવા ગઢની ઊંચાઈ દરેક પ્રભુના શરીર પ્રમાણે હોય તો એક યોજનાના વિસ્તારમાં વાંધો આવે નહીં. જુઓ ! મધ્યની મણિપીઠ દરેક પ્રભુન શરીર પ્રમાણે ઊંચી જ હોય છે. વળી સમવસરણું નાનું નાનું થાય ને ગઢ પ્રથમ પ્રમાણે જ ઊંચા રહે તે પણ ઠીક લાગતું નથી.