________________
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
અમે જે સિદ્ધ કર્યું. એનાથી કેટલાક લોકોના મતનું ખંડન થઈ ગયેલું જાણવું. સૌ પ્રથમ તો એ મત કયો છે? એ જાણીએ.
પૂર્વપક્ષ: કરેલા પાપના પ્રાયશ્ચિત્તનો સ્વીકાર તે જ ભવમાં થાય છે, પરંતુ કે “જન્માન્તરમાં પણ તે સ્વીકાર થાય' એ વાત ખોટી છે.
એ પૂર્વપક્ષ આવું બોલે છે અને પોતાની વાતને સિદ્ધ કરવા માટે એમાં સાક્ષિપાઠ પણ આપે છે. છે તે આ પ્રમાણે - જ્યાં સુધી આયુષ્ય બાકી હોય, જયાં સુધી થોડોક પણ વ્યવસાય = = પ્રવૃત્તિ = હલનચલને હોય, ત્યાં સુધીમાં આત્મહિત કરી લેવું જોઈએ. કે જેથી કે શશિરાજની જેમ પરલોકમાં શોક કરવાનો ન રહે. કે (શશિરાજે રાજાના ભવમાં લેશ પણ આત્મહિત ન કર્યું. તે મરીને પરલોકમાં નરકે
ગયો. ત્યાં જુનો ભવ યાદ કરીને ખૂબ શોક કરે છે કે મેં આત્મહિત ન કર્યું, માટે - નરકમાં આવ્યો...).
પૂર્વપક્ષ આ રીતે સાક્ષીપાઠ તો આપે છે, પણ એમાં સ્પષ્ટ રીતે જણાતી યુક્તિ- વિરુદ્ધતા = અસંલગ્નતાને સમજતો નથી. આ પૂર્વપક્ષનું ખંડન તો અમે “બધી જ કે દીક્ષા જન્માન્તરોમાં કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત છે.” એવું કહેવા દ્વારા જ કરી લીધું. કેમકે આ પાઠ દ્વારા ઈહભવના પાપોનું પ્રાયશ્ચિત્ત પરભવમાં થવાની વાત સ્પષ્ટ કહી જ છે.
(પૂર્વપક્ષે જે સાક્ષીપાઠ આપ્યો છે તેની પાછળ પૂર્વપક્ષ એમ દલીલ કરે છે કે કે જ્યાં સુધી આયુષ્ય બાકી હોય ત્યાં સુધી આત્મહિત કરી લો.” એવો ઉપદેશ છે. પ્રાયશ્ચિત્ત પણ આત્મહિત જ છે ને ? એટલે અર્થ એ થયો કે “જ્યાં સુધી આયુષ્ય બાકી હોય ત્યાં સુધીમાં પ્રાયશ્ચિત્ત કરી લો.”
અહીં સ્પષ્ટ સમજાય છે કે પરભવમાં પ્રાયશ્ચિત્ત થઈ શકતું નહિ હોય, માટે જ આભવ બાકી હોય ત્યાં સુધીમાં પ્રાયશ્ચિત્ત કરવાની વાત કરી છે. જે પરભવમાં પણ - પ્રાયશ્ચિત થઈ શકતું હોત તો શાસ્ત્રકાર એમ કહેત કે “પાપનું પ્રાયશ્ચિત્ત આભવમાં કે
છેવટે પરભવમાં કરજે..” પણ એમ તો કહ્યું નથી, માટે આ પાઠને આધારે આ કે પદાર્થ નક્કી થાય છે કે આભવના પાપોનું પ્રાયશ્ચિત્ત આભવમાં જ થાય, પરભવમાં જ મહામહોપાલાલ ગોવિજ વિડિત હળવા થયા - હાલો કા ત્રિમ + અજાણી લા લા ૧૦ આ
wwxxxxx