SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થોએ પિતાને અર્થે કરેલું તીખું, કડવું, તૂરું, ખાટું, મી ડું અથવા ખારું એવું જેવું અન્ન મળે તેવું સાધુઓએ મીઠા ઘૂતની માફક ભક્ષણ કરવું. તેમજ રે, મોહન ઉદય, સ્વજ વગેરેનો ઉપસર્ગ થએ છો, જીવદયાનું રક્ષણ કરવાને માટે તપસ્યાને માટે તથા આયુષ્યનો અંત આવે શરીરને ત્યાગ કરવાને અર્થે આહારનો ત્યાગ કરવો. ' એ વિધિ સાધુ આશ્રયી કહ્યું. શ્રાવક આશ્રયી વિધિ પણ યથાયોગ્ય જા. બીજે સ્થળે પણ કહ્યું છે કે–વિવેકી પુરૂષ શકિત હોય તે દેવ, સાધુ, નગરને સ્વામી, તથા સ્વજન સંકટમાં પડ્યા હોય, અથવા સૂર્ય ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભોજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રોગ ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તે ભજન કરવું નહીં. કહ્યું છે કે–તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલી લાગુ કરવી. પગ વાયુથી, થાકથી, ક્રોધથી, શેકથી, કામવિકારથી અને પ્રકાર થવાથી ઉત્પન્ન થએલા તાવમાં લાંઘણ કરવી નહીં. તથા દેવ, ગુરૂને વંદનાદિકનો યુગ ન હોય; તીર્થને અથવા ગુરૂને વંદના કરવી હોય, વિશેષ વ્રત પચ્ચખાણ લેવાં હેય, મોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે, તેમજ અષ્ટમી ચતુર્દશી વગેરે માટા પર્વના રિમે પશુ ભોજન કરવું નહીં. મા ખમણુ વગેરે તપસ્યાથી આલેકમાં તમાં પરલેકમાં ઘણું ગુણ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે—તપસ્યાથી અને સ્થિર કાર્ય હોય તે સ્થિર, વાંકું હોય તે સરળ, દુલ હોય તે સુલભ તથા અખાધ હેય તે સુમધ્ય થાય છે. વાસુદેવ, ચક્રવર્તી વગેરે લોકોનાં તે તે દેવતાને પિતાનો સેવક બનાવવા વગેરે ઈહલોકનાં કાર્યો પણ અઠમ વગેરે તપસ્યાથી જ સિદ્ધ થાય છે; પણ તે વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભજન વિધિ કહ્યા છે. - સુશ્રાવક ભોજન કરી રહ્યા પછી નવકાર સ્મરણ કરીને ઊઠે, અને ચૈત્યવંદન વિધિવડે દેવને તથા ગુરૂને વેગ હોય તે પ્રમાણે વાં. ચાલી ગાથામાં ગુરૂવાળા કુપ એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે, તેથી એ સર્વ વિધિ સૂચવ્યા એમ જાણવું. હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ-ભજન કરી રહ્યા ૩૦૬
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy