________________
જેવાથી તથા હંસના આગમનની વાત સાંભળવાથી એને મૂર્છા આવી. અને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વભવનું સર્વ કૃત્ય એની યાદમાં આવ્યું. ત્યારે એણે પિતાના મનથી જ એ નિયમ લીધે કે, “જિનેશ્વર ભગવાનનું દર્શન અને વંદના કર્યા વિના મહારે યાવજીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું ન કલ્પે,” નિયમ રહિત ધર્મ કરતાં નિયમ સહિત ધર્મનું અનંતગણું અધિક ફળ છે. કહ્યું છે કે–નિયમ સહિત અને નિયમ રહિત એ બે પ્રકારનો ધર્મ છે. તેમાં પહેલે ધર્મ
ડે ઉપાર્યો હોય, તો પણ નિશ્ચયથી બીજા કરતાં અનંતગણું ફળ આપે છે. અને બીજે ધર્મ ઘણો ઉપાર્યો હોય, તે પણ પ્રમાણવાળું અને અનિશ્ચિત ફળ આપે છે. જે કાંઈ પણ ઠરાવ કર્યા વગર કોઈને ઘણા કાળ સુધી અને ઘણું જ દ્રવ્ય ધર્યું હોય, તો તેથી કિંચિતમાત્ર પણ વ્યાજ ઉત્પન્ન ન થાય. અને જે ધીરતી વખતે ઠરાવ કર્યો હોય તે ધીરેલા દ્રવ્યની પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. એમ ધર્મના વિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ ફળવૃદ્ધિ જાણવી. તત્વને જાણ પુરૂષ હોય, તે પણ અવિરતિનો ઉદય હેય શ્રેણિક રાજાની પેઠે તેનાથી નિયમ લેવાતું નથી, અને અવિરતિનો ઉદય ન હોય તે લેવાય છે. તે પણ કઠણ વખત આવતાં દઢતા રાખી નિયમને ભંગ ન કરવો, એ વાત તો આસનસિદ્ધિ જીવથી જ બની શકે છે. એ ધર્મદત્ત પૂર્વભવથી આવેલી ધમૈચિથી અને ભક્તિથી પિતાની એક મહિનાની ઉમ્મરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યો. ગઈ કાલે જિનદર્શન અને જિનવંદના કર્યા હતાં, માટે એણે દૂધ વગેરે પીધું. આજે સુધા તૃષાથી પીડાય તે પણ દર્શન અને વદનાને યોગ ન મળવાથી એણે મન દઢ રાખી દૂધ ન પીધું. અમારા વચનથી એનો અભિગ્રહ પૂર્ણ થયું, ત્યારે એણે દૂધપાન વગેરે કર્યું. પૂવિભવે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય, અથવા કરવા ધાર્યું હોય, તે સર્વ પરભવે પૂર્વભવની પેઠે મળી આવે છે. એ મહિમાવંત પુરૂષને પૂર્વભવે કરેલી જિનેશ્વર ભગવાનની અપ્રકટ ભક્તિથી પણ ચિત્તને ચમકાર ઉત્પન્ન કરનારી પરિપૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાઓના જીવ સ્વર્ગથી અવીને જૂદા જૂદા મોટા રાજકુળમાં અવતરી એની રા
૧૮૧