________________
પ્રશસ્તિ
जानाति मत्कृतस्य हि विद्वान् ग्रन्थस्य कमपि रसमस्य ।
नलिनीवनमकरन्दास्वादं वेद भ्रमर एव ॥ १४ ॥
મેં કરેલા ગ્રન્થના કોઈક અપૂર્વ રસને વિદ્વાન જ જાણી શકે છે. નલિનીવનના મકરન્દનો આસ્વાદ ભ્રમર જ માણી શકે છે. ઊંટ નહિ. ॥૧૪॥
दुर्जनवचनशतैरपि चेतोऽस्माकं न तापमावहति ।
तन्नूनमियत्कियदपि सरस्वतीसेवनस्य फलम् ॥१५ ॥
દુર્જનના સેંકડો વચનોથી પણ અમારું ચિત્ત જે સંતાપ પામતું નથી તે ખરેખર સરસ્વતીની અત્યાર સુધી કરેલી ઉપાસનાનું કંઈક ફળ છે. ૧૫/
ग्रन्थेभ्यः सुकरो ग्रन्थो मूढा इत्यवजानते ।
न जानते तु रचनां धूका इव रविश्रियम् ॥१६॥
‘જુદા જુદા ગ્રન્થોમાંથી થોડું થોડું લઈને નવો ગ્રન્થ રચી દેવો સુકર છે' એવું વિચારીને મૂઢજીવો આની અવજ્ઞા કરે છે. ખરેખર ! ઘુવડો જેમ સૂર્યની શોભાને જાણી શકતા નથી, તેમ તેઓ ગ્રન્થરચનાને જાણી શકતા નથી. ॥૧૬॥
दुर्जनगीय भयतो रसिका न ग्रन्थकरणमुज्झन्ति ।
यूकापरिभवभयतस्त्यजन्ति के नाम परिधानम् ? ॥१७॥
દુર્જનો નિંદાવચનો બોલશે એવા ભયથી રસિકપુરુષો કંઈ ગ્રન્થ રચનાને પડતી મૂકતા નથી. ‘જૂ થઈ જશે' એવા ભયના કારણે વસ્ત્ર પહેરવાનું કોણ છોડી દે છે ? ॥૧૭॥
उपेक्ष्य दुर्जनभयं कृताद् ग्रन्थादतो मम ।
बोधिपीयूषवृष्टिमें भवताद् भवतापहृत् ॥१८॥
તેથી દુર્જનના ભયની ઉપેક્ષા કરીને કરાયેલા આ મારા ગ્રન્થથી મારા સંસારના તાપને હરનાર બોધિરૂપ પીયૂષની વૃષ્ટિ થાઓ. ।।૧૮।
॥ इति न्यायविशारदविरचितं सामाचारीप्रकरणं संपूर्णम् ॥
॥ આમ ન્યાય વિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજે રચેલું સામાચારીપ્રકરણ પૂર્ણ થયું. ॥
शिवमस्तु सर्वजगतः સંપૂર્ણ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૬૩