SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ] ધમબિન્દુ. परमस्वास्थ्यहेतुत्वात्परमार्थतः स्वास्थ्यमेवेति ॥४८॥ અર્થ-ઉત્કૃષ્ટ સ્વસ્થપણાના કારણભૂત હોવાથી, ઉત્સુ.. કતારહિતપણે પ્રવૃત્તિ કરવી, એજ સ્વસ્થપણું જાણવું. ભાવાર્થ-જે લેકે ઉત્સુકતારહિતપણે પ્રવૃત્તિ કરે છે, તે: પરમ સ્વસ્થતા પામે છે. માટે નિરૂત્સક પ્રવૃત્તિજ પરમ સ્વસ્થતા છે. એમ કહી શકાય. કોઈ પણ પ્રકારની તૃણા વિના-ફળની આશા વિના, નિરૂત્સુકપણે કેવળજ્ઞાની ભગવાન જ પ્રવૃત્તિ કરે છે, જે કેવળજ્ઞાનીને નિરૂસુક ભાવ હેય, જે તેઓને કેઈપણ પ્રકારની તૃષ્ણાજ ન હોય, જે સંસાર અને મેક્ષ બન્નેને વિષે સ્પૃહાજ ન હોય, તે પછી યોગ્ય કાર્યમાં પ્રવૃત્તિ અને અગ્ય કાર્યથી નિવૃત્તિ શી રીતે થઈ શકે ? એવી શંકાને ટીકાકાર ઉત્તર આપે છે કે પૂર્વ સંસ્કારવશથી તે થઈ શકે છે. જેમ કુંભારના ચક્રને ગતિ આપ્યા પછી આપણે ફરીથી ગતિ ન આપીએ તો પણ થોડો સમય તે ચાલ્યા કરે છે, તે જ રીતે પૂર્વ સંસ્કારના વશથી અયોગ્ય કાર્યથી નિવૃત્તિ અને યોગ્ય કાર્યમાં પ્રવૃત્તિ દ્રવ્યથી થાય છે; તેઓ ભાવથી પ્રવૃત્તિ નિવૃત્તિ કરતા નથી. તેજ બાબતને સિદ્ધ કરવા શાસ્ત્રકાર લખે છે કે – भावसारे हि प्रवृत्यप्रवृत्ती सर्वत्र प्रधानो व्यवहार इति ॥४९॥ અર્થ --ભાવસહિત પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ તેજ ખરી પ્રવૃત્તિ નિવૃત્તિ છે, એવો મુખ્ય વ્યવહાર છે. ભાવાર્થ –મનના ભાવ સહિત જે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય છે, તેને જ તત્વના જણનારા ખરી પ્રવૃત્તિ કે નિવૃત્તિ ગણે છે; દ્રવ્યથી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય, તે ખરી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ. નથી. જે દ્રવ્યથી ચારિત્રક્રિયા પરિપૂર્ણ કરે, પણ તેમાં ભાવ ન હોય, તો શાસ્ત્રમાં તેમને મુનિ ભાવની સત્ય ક્રિયા કરનાર ગણવામાં આવ્યા નથી.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy