________________
૪૫૮ ]
ધ બિન્દુ
ગુણકથાનમાં સૂક્ષ્મ લેભના ક્ષય કરે. આ પ્રમાણે કષાયતા સર્વથા નાશ કરનાર તે જ સમૂળ મેવિકા થી છુટા થયેલેા તે જીવ, ક્ષીણમાહ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. ત્યાં સમુદ્ર તરીતે બહાર નીક બેલા, અથવા રણક્ષેત્રમાં વિજય મેળવી પાછા ફરનાર યેદ્દાની માફક માહના નિગ્રહ કરવામાં નિશ્ચય બાંધેલા અધ્યવસાયથી જરા થાક લાગેલા હોવાથી ખારમા ગુણસ્થાનકમાં અંતર્મુત્ત વિશ્રામ લઈ, તે. ગુણુસ્થાનકમાં છેલ્લા સમયથી આગળના સમયમાં નિદ્રા અને પ્રચલા નામની એ પ્રકૃતિના તે ક્ષય કરે છે. અને છેવટના એક સમયમાં જ્ઞાનવરણીયની પાંચ પ્રકૃતિ, અંતરાયની પાંચ પ્રકૃતિ, અને દર્શાનાવરણીયની બાકી રહેલી ચાર પ્રકૃતિ એ રીતે ચૌદ પ્રકૃતિને ક્ષય કરે છે.
જેણે કાઈ પણ `ગતિનું આયુષ્ય બાંધ્યુ નથી તેના સબંધમાં. ઉપરની હકીક્ત લખેલી છે. પણ જેણે કાઈ પણ પ્રકારનુ આયુષ્ય. ખાંધ્યું છે, તે તે ચાર અન ંતાનુબધિની અને ત્રણ દન મેહનીયની એ રીતે સાત પ્રકૃતિને ક્ષય કર્યા પછી જરા વિશ્રામ લે; અને જે રીતે આયુષ્યને બંધ બાંધ્યા હોય, તે રીતે ભાગવી છા ભવમાં તે ક્ષપકશ્રેણીના આરંભ કરે. અપૂર્વકરણ ગુણસ્થાનકમાં રહેલા જવ દર્શીનમાહનીયના સપ્તકના ક્ષય કરે છે, તે અભિપ્રાય સિદ્ધાન્તને આધારે લખેલે છે. કર્મ ગ્રન્થના અભિપ્રાય તા એવા છે કે, અવિરત સમ્યગ્દષ્ટિ, વિરત સમ્યગ્દષ્ટિ, પ્રમત્ત સ ંયત, અને અપ્રમત્ત સયત એ ચાર ગુણસ્થાનકમાંથી ગમે તે ગુણુસ્થાનકમાં. રહેલા જીવ ક્ષપશ્રેણિના આરંભ કરે.
પછી સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ વધારે પ્રબળ વેગવાળા જે માહ સમુદ્ર છે. તેને તે તરી જાય છે; એટલે મેાહરૂપ સમુદ્રને ઓળંગીને તે મનુષ્ય સામા તીરે પહોંચે છે, પછી કેવળ સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીયાદિ ધાતકના ક્ષય કરવાથી