SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ [ ૩૭૩ દેશ ઠેષથી નાશ પામતા નથી, પણ પ્રેમથી નાશ પામે છે, તેમજ ક્રોધ ક્રોધથી નાશ પામતો નથી પણ ક્ષમાથી નાશ પામે છે. તે જ રીતે સર્વે દુર્ગાનું સમજવું. જેમ જેમ પ્રેમ વધતો જશે તેમ તેમ ઠે૨ સ્વયમેવ નાશ પામશે. જેમ જેમ પક્ષમાં ગુણ વૃદ્ધિ પામશે તેમ તેમ ક્રોધ વિનાશ પામતો જશે. માટે જે દુર્ગણો ત્યાગ કરવા આપણે માગતા હોઈએ તેના વિરોધી સગુણને આશ્રય લે. તથા ગાંજ્ઞનુસ્મૃતિરિતિ ૭%ા. અર્થા–ભગવંતની આજ્ઞાનું સ્મરણ કરવું. ભાવાર્થ –ક્ષણે ક્ષણે દરેક કાર્ય કરતી વખતે ભગવંતની આજ્ઞા શી છે તેનું સ્મરણ કરવું. ભગવંતના વચનનું સ્મરણ કરવું એ ભગવંતને સ્મરણ કર્યા તુલ્ય હેવાથી બહુ લાભકારી છે. જે પુરૂષો ભગવંતને પૂજે છે, પણ તેમની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી તે ખરી રીતે ભગવંતના ભક્ત કહી શકાય નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે, अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन्नियमात्सर्वार्थसंसिद्धिः ॥१।। - જ્યારે ભગવંતનું વચન હૃદયમાં રહ્યું ત્યારે પરમાર્થથી ભગ-વંતજ હૃદયમાં રહ્યા છે એમ સમજવું. અને જ્યારે ભગવંત હૃદયમાં રહ્યા ત્યારે નિશ્ચ સર્વ અર્થની સિદ્ધિ થઈ એમ સમજવું; માટે 'ભગવંતની આજ્ઞા હૃદયમાં રાખી દરેક કાર્ય કરવું. तथा समशत्रुमित्रतेति ॥७५॥ અર્થ –શત્રુ તથા મિત્ર તરફ સમાન ભાવ રાખ. ભાવાર્થ-શત્રુ તિરસ્કાર કરે, અને મિત્ર સ્તુતિ કરે છતાં સાધુ પુરૂષોને તો મને ઉપર સમભાવ રહે છે; કારણ કે શત્રુ તથા
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy