________________
૬૦ ]
ધર્માન્તુ
ભાવાથઃ–માતાપિતા, પેાતાને આશ્રચિને રહેલા સગાં સ`બંધી અને સેવક વનું પાષણ કરવું એ ગૃહસ્થને! સામાન્ય ધર્મ છે. તેમાં માતાપિતા, પેાતાની સતી સ્ત્રી અને પહોંચેલા બાળકેતુ અવશ્ય રક્ષણ કરવું. આ મનુસ્મૃતિના શ્લેક ટાંકી જણાવે છે કેઃ
પુખ્ત ઉમરે નહિ સબંધમાં ટીકાકાર
वृद्धौ च मातापितरौ सतीं भार्या सुताञ् शिशून् । अप्यकर्म शतं कृत्वा भर्तव्यान् मनुरब्रवीत् ॥ સેંકડો અકમ કરીને પણ વૃદ્ધ માતપિતા, સતી સ્ત્રી, અને નાના બાળકાનું રક્ષણ કરવુ એમ મનુ કહે છે અને જો પેાતાની પાસે ધનસપત્તિ સારી હાય તે બીજા પણ પાષણ કરવા ચેાગ્ય છે, એમ શાસ્ત્રકાર બતાવે છે.
મહાભારતમાં ભીમ યુધિષ્ઠિરને કહે કે—
चत्वारि ते तात ! गृहे वसन् श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे । सखा दरिद्रो, भगिनी व्यपत्या, जातिश्च वृद्धो विधनः कुलीनः ॥
“હે વડિલ ! ગૃહસ્થ ધર્મોમાં રહેલા અને લક્ષ્મીવાળા તારે તારા ઘરમાં આ ચાર માણસેાને પણ રાખી તેમનું પાષણ કરવું:દુખી મિત્ર, પતિ વગરની પોતાની વ્હેન, પોતાની જાતિના ડાઈ પશુ વૃદ્ધ અને ધન રહિત થયેલા કુળવાન પુરૂષ; એ ચાર પ્રકારના માણસાનું લક્ષ્મીવાળા ગૃહસ્થે રક્ષણ કરવુ જોઈએ.
માણસે જોખમદારી પાતાના શિરે લેતાં પહેલાં બહુજ વિચાર કરવા, અને એકવાર લીધી તે। પછી તેના નિર્વાહ કરવા એ તેના ધમ છે; અને જે લેકા જોખમદારી લઈને બરાબર અદા કરતા નથી, અને ભરણ પોષણ કરવા યોગ્ય ઝુબ વને નિરાધાર સ્થિતિમાં મુકે છે, તેએ સ્વક વ્યથી ચૂકે છે. માટે આફત વેઠીને, દુ:ખ સત્તુત કરીને અને પેાતના સુખના ભાગ આપીને પણ માતા