SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ गुरुतत्त्वसिद्धिः (ઉપરોક્ત ત્રણ માર્ગ સિવાયના) સેના–બાકીના જીવો (૧) ગૃહિલિંગ=ગૃહસ્થપણે ગુરુ,(૨) કુલિંગ=તાપસાદિનું લિંગ, અને (૩) દ્રવ્યલિંગ=માત્ર દ્રવ્યથી સાધુવેષનું ધારણ - આ ત્રણ માર્ગના કારણે મિથ્યાષ્ટિ છે..( વિપરીત દુરાગ્રહથી સંસારમાર્ગે છે..) જેમ ત્રણ મોક્ષમાર્ગ છે, તેમ ત્રણ સંસારમાર્ગ જાણવ.” (શ્લોક-૫૨૦) હવે ચૈત્યવંદનકુલક અને ઉપદેશમાલાના શાસ્ત્રપાઠો આપવા દ્વારા પ્રસ્તુતમાં શું કહેવું છે? તે જણાવે છે – इत्यत्र द्रव्यलिगिनोऽनन्तरोक्तलक्षणा एव ग्राह्याः, न तु शय्यातरपिण्डादि कियद्दोषदूषितदेशपार्श्वस्थाः, तेषां हि सातिचारचारित्रसद्भावेऽपि मिथ्यादृष्टित्वे प्रोच्यमाने महत्याशातना स्यात् । – ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - તો અહીં પૂર્વે કહેલા લક્ષણવાળા દ્રવ્યલિંગીઓ જ લેવા, શય્યાતરપિંડાદિ કેટલાક દોષથી દુષ્ટ દેશપાર્થસ્થો ન લેવા. કારણ કે સાતિચાર ચારિત્ર હોવા છતાં તેઓને મિથ્યાત્વી કહો, તો મોટી આશાતના થાય. વિવેચનઃ- શ્રાવકોએ જે સાધુનો સંગમાત્ર પણ નથી કરવાનો, તે સાધુ તરીકે દ્રવ્યલિંગી (=માત્ર નામ પૂરતો સાધુનો વેષ ધારણ કરનારા) લેવા.. જેઓનું સ્વરૂપ-લક્ષણ ‘પાં પુwi' ઇત્યાદિ ઉપદેશમાલાની ગાથાઓથી અમે પૂર્વે બતાવ્યું. આવા સાધુઓને મિથ્યાદૃષ્ટિ કહેવામાં કોઈ બાધ નથી, તેઓનો માર્ગ મિથ્યાત્વનો માર્ગ છે – એવું ઉપદેશમાલાના વિધાન પરથી સ્પષ્ટ છે.. પણ શય્યાતરપિંડને લેવા વગેરે રૂપ કેટલાક દોષોવાળા જે દેશપાર્થસ્થો છે, તેઓને અહીં અવંદનીય-અસંસર્ગનીય-મિથ્યાષ્ટિ તરીકે ન લેવા.. કારણ કે તેઓનું સાતિચાર ચારિત્ર હોય છે. (અતિચારવાળું પણ ચારિત્ર તો હોય છે જ..) હવે સાતિચાર ચારિત્ર હોય, છતાં તમે તેઓને મિથ્યાદૃષ્ટિ કહો, તો મોટી આશાતના થાય.. (ચારિત્રધરને મિથ્યાત્વી કહેવા દ્વારા તેમની ઘોર હીલના કરાયેલી થાય..) ' હવે દેશપાર્થસ્થોમાં સાતિચાર ચારિત્ર હોય છે જ, એ વાતની સાબિતી માટે ગ્રંથકારશ્રી પ્રવચનસારોદ્ધારની વૃત્તિનો પાઠ બતાવે છે - _____ न च सातिचारचारित्रित्वं तेषामसिद्धम् । यदुक्तं श्रीप्रवचनसारोद्धारसूत्रवृत्तौ - "एतेषु पार्श्वस्थं सर्वथैवाचारित्रिणं केचिन्मन्यन्ते, तत्तु न युक्तं प्रतिभाति, यतो यद्येकान्तेन - - - - - - જ “સેતા મિચ્છદ્દિકી, દિતિતિ વિદ્ગતિર્દિા - - - - - - जह तिण्णि च मुक्खपहा, संसारपहा तहा तिण्णि ॥५२०॥' (उपदेशमालाप्रकरणम्)
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy