________________
गुरुतत्त्वसिद्धिः
देशमालागाथोक्तलक्षणसर्वपार्श्वस्थाद्यसंयतवन्दन एव सम्भाव्यते, न तु किञ्चिद्विराधकदेशपार्श्वस्थादिवन्दने ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ-ચાર પ્રકારના મિથ્યાત્વમાં જે ગુરુ વિશેનું લોકોત્તર મિથ્યાત્વા કહ્યું છે, તે પણ ઉપદેશમાલામાં કહેલા ‘રાણા પુષ્કપત્ન' વગેરે લક્ષણવાળા સર્વપાર્થસ્થાદિ અસંયતોના વંદનમાં જ સંભવે છે. બાકી (તેવું મિથ્યાત્વ) કંઇક વિરાધના કરનાર દેશપાર્થસ્થાદિને વંદન કરવામાં ન સંભવે.
વિવેચનઃ-પૂર્વપક્ષઃ- તમારા કહેવા મુજબ પાસત્યાદિ પણ અપેક્ષાએ વંદનીય છે એવું ફલિત થયું.. પણ શાસ્ત્રમાં ચાર પ્રકારનું મિથ્યાત્વ બતાવ્યું છે :
(૧) લૌકિકગુરુગત મિથ્યાત્વઃ- બ્રાહ્મણ, તાપસ, સંન્યાસી વગેરેને ગુરુ માનીને વંદન કરવા.. (૨) લૌકિકદેવગતમિથ્યાત્વ:-અન્યતીર્થિક હરિહર, બ્રહ્મા, શંકર વગેરેને પૂજા-વંદનાદિ કરવા..
(૩) લોકોત્તરગુરુગતમિથ્યાત્વઃ- સાધુગુણોથી શૂન્ય માત્ર રજોહરણાદિ લોકોત્તર વેષને ધારનારાઓને વંદનાદિ કરવા..
(૪) લોકોત્તરદેવગતમિથ્યાત્વઃ- જે પ્રતિમાઓ પરતીર્થિકો દ્વારા ગૃહીત હોય (જેમ કે બદરીનાથ, જગન્નાથપુરી, તિરુપતિ..વગેરે) તેમને વંદન-પૂજનાદિ કરવા..
તો આમાં લોકોત્તર ગુરુ વિશેનું મિથ્યાત્વકહ્યું છે અને આ મિથ્યાત્વ પાર્થસ્થાદિને ગુરુ માનવાથી લાગે છે, એ સ્પષ્ટ છે. હવે જો પાર્થસ્થાદિને વંદનીય માનો, તો તેઓને વંદન કરવા દ્વારા આ મિથ્યાત્વ લાગે જ ને?
ઉત્તરપક્ષઃ આ વાત સર્વપાર્થસ્થાદિ અસંયતોને વંદન કરવામાં સમજવી, આંશિક વિરાધક દેશપાર્થસ્થાદિને વંદન કરવામાં નહીં..
આશય એ કે, ઉપદેશમાલામાં ટૂંકાવાનું પુરૂં.' ઇત્યાદિ ગાથાઓથી જે સર્વપાર્થસ્થોનું લક્ષણ બતાવ્યું છે, તે જીવો માત્ર વેષધારી છે, લેશમાત્ર પણ સંયમના પરિણામ નથી, હકીકતમાં તેઓ અસંયત જ છે - આવા અસંયત સર્વપાર્થસ્થોને વંદન કરીએ, તો જ લોકોત્તર મિથ્યાત્વ લાગે..
બાકી થોડીઘણી વિરાધના કરનાર દેશપાર્થસ્થરૂપ બકુશ-કુશીલ નિગ્રંથોને વંદન કરવામાં તેવું મિથ્યાત્વ ન લાગે એ ધ્યાનમાં રાખવું.
હવે ગ્રંથકારશ્રી, માત્ર વેષધારી-અસંયત એવા સર્વપાર્થસ્થ કોને કહેવાય? કે જેને વર્તમાનકાળમાં પણ વંદન ન કરાય.. તેનું સ્વરૂપ ઉપદેશમાલા ગ્રંથના આધારે બતાવે છે -
–
अत्र लिंगधारिस्वरूपमित्थं श्रीउपदेशमालायाम् - दगपाणं पुष्फफलं, अणेसणिज्जं गिहत्थकिच्चाई । अजया पडिसेवंती, जइवेसविडंबगा नवरं ।।३४९।।
આ બધી ગાથાઓ હમણાં જ આગળ સાનુવાદ જણાવાશે..