SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા: દ્રવ્યપરિગ્રહની પ્રતિબંદી ૩૩ निमित्तकहिंसाप्रतियोगिनि जीवे स्वेष्टहिंसाप्रतियोगित्वरूपघात्यत्वज्ञानाभावादेव न तदिति प्रगुणमेव पन्थानं किमिति न वीक्षसे? ॥५०॥ ___ अथ वस्त्रादिधरणं साधोरुत्सर्गतो नास्त्येव, कारणिकत्वात्, 'तिहिं ठाणेहिं वत्थं धरेज्जा हिरिवत्तियं, परीसहवत्तियं दुगंछावत्तियं' इत्यागमे (स्थानाङ्गे) अभिधानात्, किन्त्वापवादिकम् । तद्धरणकारणं च जिनकल्पायोग्यानां स्थविरकल्पिकानां सार्वदिकमेव, निरतिशयत्वाद्, इति तद्धरणमपि सार्वदिकं प्राप्तम् । तदुक्तं विशेषावश्यके - विहियं सुए च्चिय जओ धरेज्ज तिहि कारणेहिं वत्थं ति । तेणं चिय तदवस्सं णिरतिसएणं धरेयव्वं ।।२६०२ ।। जिणकप्पाजोग्गाणं हीकुच्छपरिसहा जओ वस्सं । ही लज्जत्ति व सो संजमो तयत्थं विसेसेणं ।।२६०३ ।। ति । भगवतश्च यद्यपि वस्त्रादिधरणं हीकुत्सापरिषहप्रत्ययं न संभवति, तस्य तदभावात्, तथापि शीतोष्णादिपरिषहप्रत्ययं तत्, आहारनिमित्तक्षुत्पिपासापरिषहवद्वस्त्रधरणनिमित्तशीतोष्णादिपरिરૂપ હોતું નથી. - એવું જો માનતા હો તો મારે જે હિંસા ઈષ્ટ છે તેનો આ પ્રતિયોગી (વધ્ય) જીવ છે ઇત્યાદિ રૂપે ઈષ્ટ વિષય તરીકે ઘાત્યજીવનું જ્ઞાન હોય તો જ રૌદ્રધ્યાન પ્રવર્તે છે. કેવલીને આવું જ્ઞાન ન હોવાથી જ દ્રવ્યહિંસા હોવા છતાં રૌદ્રધ્યાન હોતું નથી એવું પણ કેમ માનતા નથી? I૫ol દ્રવ્યપરિગ્રહ આપવાદિક હોઈ કેવલીને દોષાભાવ - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ : સાધુએ ઉત્સર્ગથી તો વસ્ત્રાદિ રાખવાના હોતા જ નથી, કારણ કે ઠાણાંગમાં “ત્રણ કારણોએ વસ્ત્ર રાખવા - લજ્જા નિમિત્તે, પરિષહ નિમિત્તે અને જુગુપ્સા નિમિત્તે' ઇત્યાદિરૂપે તેને સકારણ જ રાખવાના કહ્યા છે. તેથી વસ્ત્રધારણ આપવાદિક છે. તેને ધારી રાખવાના ઉક્ત કારણોમાંથી એક કે અનેક કારણ જિનકલ્પને અયોગ્ય સ્થવિરકલ્પી સાધુઓમાં હંમેશા હાજર હોય છે, કારણ કે તેઓ તેવા અતિશય વિનાના હોય છે. માટે તેઓએ વસ્ત્રને હંમેશા રાખવા પડે છે. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે “ત્રણ કારણોએ વસ્ત્ર રાખવા એવું શ્રુતમાં જ કહ્યું છે. તેથી અતિશયશૂન્ય સાધુએ અવશ્ય વસ્ત્ર રાખવા જોઈએ, કારણ કે જિનકલ્પને અયોગ્ય સાધુઓને હી કુત્સા અને પરિષહો અવશ્ય હંમેશાં હોય છે. તેમાંથી હૃી એટલે લજ્જા... સંયમરૂપ લજ્જા. તેથી તે માટે તો વિશેષ કરીને વસ્ત્ર રાખવા જોઈએ.” જો કે કેવળી ભગવાનને હી-કુત્સાપરિષહ નિમિત્તે વસ્ત્રધારણ સંભવતું નથી, કેમકે તેઓને ડ્રીકુત્સાપરિષહ હોતાં નથી, તો પણ શીત-ઉષ્ણ વગેરે પરિષહ નિમિત્તે વસ્ત્રધારણ તો અબાધિતપણે સંભવે છે, કેમકે આહારક્રિયાના કારણભૂત ક્ષુધા-પિપાસા વગેરે પરિષહોની હાજરીની જેમ વસ્ત્રધારણના - १. त्रिभिः स्थानैः वस्त्र धारयेत् - हीप्रत्ययं, परिषहप्रत्ययं, जुगुप्साप्रत्ययम् ॥ २. विहितं श्रुत एव यतो धारयेत् त्रिभिः कारणैः वस्त्रमिति । तेनैव तदवश्यं निरतिशयेन धारयितव्यम् । जिनकल्पायोग्यानां हीकुत्सापरिषहा यतोऽवश्यम्। ही लज्जेति वा स संयमस्तदर्थ विशेषेण ॥ इति ।
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy