SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩, ૮૪ तदेवं 'केवलिनोऽवश्यम्भाविनी जीवविराधना न भवति' इति स्वमतिविकल्पनमनर्थहेतुः, इत्येतादृशाः कुविकल्पा मोक्षार्थिना त्याज्या इत्याह तिव्वासग्गहदोसा एयारिसया हवंति कुविगप्पा । ते उच्छिंदिय सम्मं आणाइ मुणी पयट्टिज्जा ।।८४।। तीव्रासद्ग्रहदोषादेतादृशका भवन्ति कुविकल्पाः । तानुच्छिद्य सम्यगाज्ञायां मुनिः प्रवर्तेत ।।८४ ।। तीव्रात् सम्यग्वक्तृवचनानिवर्तनीयत्वेनोत्कटाद्, अभिनिवेशाद्विपर्ययग्रहादेतादृशकाः कुविकल्पा भवन्ति, तानुच्छिद्य सम्यगाज्ञायां गुरुशास्त्रपारतन्त्र्यलक्षणायां मुनिः प्रवर्तेत, न तु बहुश्रुतत्वादि અનુમાન કરાવવા ચાહે, તો, “અગ્નિ તો ધૂમાડા વિના પણ લોખંડના ગોળામાં રહી જાય છે એવું જે ક્યાંક અન્યથાત્વ જોવા મળે છે એ વ્યભિચારરૂપ હોઈ અસંગતિ ઊભી થાય છે અને અનુમાન થઈ શકતું નથી. પણ જો એ વ્યક્તિ ત્યાં ધૂમાડો હોવો જોઈએ, કારણ કે ત્યાં અગ્નિ છે' એવી માત્ર સંભાવના જ દેખાડે તો સામી વ્યક્તિ પણ એને સ્વીકારી લે છે અને કોઈ અસંગતિ થતી નથી.). [ત્યનુમાનદેતુત્વે.. ઇત્યાદિ આ અધિકાર આ રીતે પણ લગાડી શકાય -માટે વૃત્તિકારે “ક્ષીણચારિત્રાવરણત્વા એવો જે હેતુ આપ્યો છે અને ક્યારેય પણ પ્રાણોના અતિપાતયિતા ન હોવા રૂપ સાધ્યનું અનુમાન કરાવનાર હેતુરૂપ જો માનવો હોય તો તેમાં વિશેષણ જોડીને વિશિષ્ટ હેતુ લેવાની ઉપરોક્ત રીત અપનાવવી અને જો એને તે સાધ્યની માત્ર સંભાવના કરાવી આપનાર હેતુરૂપ માનવો હોય તો આવી વિશિષ્ટ હેતુ લેવા રૂપ કોઈ સંગતિની જરૂર રહેતી નથી. (જેમ કે અગ્નિને ધૂમ સાધ્યની સિદ્ધિ કરી આપનાર અનુમાનનો જો હેતુ બનાવવો હોય તો એમાં “અદ્વૈધનજન્યત્વ' રૂપ વિશેષણ જોડીને વિશિષ્ટ હેતુ લેવો પડે છે. પણ ધૂમ સાધ્યની માત્ર સંભાવના કરાવનાર હેતુ જો બનાવવો હોય તો એમાં આવી કોઈ વિશેષણ જોડીને વિશિષ્ટ હેતુ લેવા રૂપ સંગતિની જરૂર રહેતી નથી.] આ વાતને બરાબર પૂર્વાપર ઉપયોગ પૂર્વક વિચારવી. ૮૩ આમ “કેવલીને અવશ્યભાવિની જીવવિરાધના હોતી નથી” એવી કલ્પના એ સ્વમતિકલ્પના છે અને એ અનર્થનો હેતુ છે એ વાત નિશ્ચિત થઈ. તેથી મોક્ષાર્થીએ આવા બધા કુવિકલ્પોનો ત્યાગ કરવો જોઈએ એવું ગ્રન્થકાર કહી રહ્યા છે – (પલાદી વિચારણા) ગાથાર્થ સમ્યગુ સમજાવનાર વચનથી પણ દૂર ન થઈ શકે તેવા તીવ્ર - ઉત્કટ વિપરીત પકડરૂપ અભિનિવેશ દોષના કારણે આવા કુવિકલ્પો જાગે છે. તેઓનો ઉચ્છેદ કરીને સાધુએ ગુરુપારતન્ય અને
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy