SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞા/ ગાથા-૨૦૧-૨૦૨ બાહ્યક્રિયાત્મક હોવાથી સાક્ષાત્ કારણ નથી, પરંતુ ભાવધર્મની નિષ્પત્તિ દ્વારા કારણ છે. તેથી દાનધર્મ મોક્ષ પ્રતિ અપ્રધાન કારણ છે. અહીં “સુપરિશુદ્ધ એવા શીલાદિ કહ્યા, તેનો અર્થ એ છે કે, પરિપૂર્ણ નિરતિચાર કે પરાકોટિના શીલાદિ ધર્મો માત્ર ગ્રહણ કરવાના નથી, પરંતુ પ્રણિધાનાદિ આશયથી સંવલિત હોવાના કારણે મોક્ષ પ્રતિ કારણ બને તેવા શીલાદિ ધર્મો ગ્રહણ કરવાના છે. અને આથી જે જીવ વિદ્યમાન પણ ધનનો સુપાત્રમાં વ્યય કરી શકતો નથી, તે જીવ બાહ્ય આચરણારૂપ શીલાદિ પાળતો હોય તોપણ તેના શીલાદિ ધર્મો સુપરિશુદ્ધ નથી. I૨૦૧ અવતરણિકા - इहैवातिदेशमाह - અવતરણિતાર્થ - અહીંયાં જ અતિદેશને કહે છે પૂર્વે ગાથા-૨૦૧માં દાન-શીલ-તપ અને ભાવમય ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ દાનધર્મને દ્રવ્યસ્તવરૂપે અને શીલાદિ ધર્મને ભાવતવ રૂપે બતાવ્યો. એમાં જ અતિદેશને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા - "इय आगमजुत्तीहि य तं तं सुत्तमहिगिच्च धीरेहिं । दव्यथयाइरूवं विवेइयव्वं सुबुद्धीए" ।।२०२।। ગાથાર્થ : આ રીતે=પૂર્વે ગાથા-૨૦૧માં ચાર પ્રકારના ધર્મમાં દ્રવ્યસ્તવ અને ભાવસવનો વિભાગ બતાવ્યો એ રીતે, આગમની યુક્તિઓ દ્વારા તેને સૂત્રને આશ્રયીને વીર પુરુષો વડે=બુદ્ધિમાન વડે, દ્રવ્યસ્તવાદિના સ્વરૂપનું સ્વબુદ્ધિ વડે વિવેચન કરવું અર્થાત્ આ દ્રવ્યdવરૂપ ધર્મ છે અને આ ભાવરૂવરૂપ ધર્મ છે, એ પ્રકારે વિભાગ કરવો. ર૦રા. ટીકા - 'इय' एवमागमयुक्तिभिस्तत्तत्सूत्रमधिकृत्य धीरैः=बुद्धिमद्भिः, द्रव्यस्तवादिरूपं सम्यगालोच्य विवेक्तव्यं स्वबुद्ध्या इति गाथार्थः ।।२०२।। ટીકાર્ય : “' ... માથાર્થ . આ રીતે=પૂર્વે ગાથા-૨૦૧માં ચાર પ્રકારના ધર્મમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો વિભાગ બતાવ્યો એ રીતે, આગમતી યુક્તિઓ દ્વારા તે તે સૂત્રને આશ્રયીને ધીર
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy