SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૮૧ ગાથાર્થ: અને તેનાથી=વૈદિક આચાર્યથી, વિનેયસત્ત્વ સંબંઘી=શિષ્ય સંબંધી અર્થાત્ શિષ્યની આગળ, વૈદિક આચાર્ય દ્વારા કરાતું એવું જે વ્યાખ્યારૂપ આગમ છે, તે પણ એમ જ છે=વૈદિક આચાર્ય વ્યામોહ છે એમ વ્યામોહ જ છે. તેનો=આગમાર્થનો, પ્રયોગ પણ એમ જ છે=વ્યામોહ જ છે, અને અનિવારણ નિયમથી=નક્કી, વ્યામોહ છે. ૧૮૧॥ ટીકા ततश्च वैदिकादर्था (चार्या) दागमो यो व्याख्यारूपो विनेयसत्त्वानां सम्बन्धी सोऽप्येवमेव = व्यामोह एव, तस्यागमार्थस्य प्रयोगोऽप्येवमेव = व्यामोह एव, अनिवारणं च नियमेन व्यामोह एवेति ગાથાર્થ:।।૮।। ૩૭૧ ઢીકાર્ય : ततश्च ગાથાર્થ:।। અને તેનાથી વૈદિક આચાર્યથી, વિનેયસત્ત્વ સંબંધી=શિષ્ય સંબંધી અર્થાત્ શિષ્યની આગળ, વૈદિક આચાર્ય દ્વારા કરાતું એવું જે વ્યાખ્યારૂપ આગમ છે, તે પણ એમ જ અર્થાત્ વૈદિક આચાર્ય પ્રમાણ છે તે વ્યામોહ છે એમ જ, વૈદિક આચાર્યથી કહેવાયેલ શિષ્ય સંબંધી વ્યાખ્યારૂપ આગમ પણ વ્યામોહ જ છે. ..... તેનો=આગમાર્થનો, પ્રયોગ પણ અર્થાત્ આગમ મુજબ યજ્ઞાદિ કરાવવા એ પણ, એ પ્રમાણે જ=જે પ્રમાણે વ્યાખ્યારૂપ આગમ વ્યામોહ છે એ પ્રમાણે જ=વ્યામોહ જ છે, અને અનિવારણ નિયમથી=નક્કી, વ્યામોહ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૮૧ * પ્રસ્તુત ગાથાની ટીકામાં ‘વૈવિાર્થાવાળો’ પાઠ છે, તે અસંગત જણાય છે. ત્યાં પંચવસ્તુક ગ્રંથ ગાથામાં ‘વૈવિાચાર્યાવાળમો' પાઠ છે, તે સંગત છે અને તે મુજબ અહીં અમે અર્થ કરેલ છે. ભાવાર્થ : પૂર્વે ગાથા-૧૮૦માં કહ્યું કે, વૈદિક આચાર્ય પ્રમાણ છે તે વ્યામોહ છે, માટે વૈદિક આચાર્ય પ્રમાણ નથી, તો તેઓ વડે શિષ્ય સંબંધી જે વ્યાખ્યારૂપ આગમ કહેવાયું તે પણ વ્યામોહ જ છે. આશય એ છે કે, હિતાર્થી એવા શિષ્યોએ આ પ્રકારે ક૨વું જોઈએ, એ પ્રકારે વેદવાક્યની વ્યાખ્યા વૈદિક આચાર્ય વડે કરાઈ તે પણ વ્યામોહ જ છે. વળી તે આગમાર્થ પ્રમાણે શિષ્યોની જે પ્રવૃત્તિ છે, તે પણ વ્યામોહ જ છે અર્થાત્ વૈદિક આચાર્યે કરેલા આગમાર્થ પ્રમાણે શિષ્યો જે યજ્ઞાદિમાં પ્રવૃત્તિ કરે છે, તે પણ વ્યામોહ જ છે. વળી, તે પ્રવૃત્તિનું અનિવારણ છે તે નક્કી વ્યામોહ છે; કેમ કે યજ્ઞાદિમાં પ્રવૃત્તિ ક૨વાથી બીજા જીવોની હિંસા થાય છે અને તેનાથી પાપકર્મનો બંધ થાય છે અને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે, માટે તેવી પ્રવૃત્તિનું નિવારણ ન કરવું તે નક્કી વ્યામોહ છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy