SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ નવપરિણા | ગાથા-૧૪૨ ૩૧૭ ટીકા : आरम्भवतश्चेयं विहिताऽऽरम्भान्तरनिवृत्तिदा प्रायः विधिना कारणादेवमपि चानिदाना विहिता परस्येष्टा (विहितपरस्येष्टा) चैषापि पीडा मोक्षफला नाऽभ्युदयायैवेति गाथार्थः ।।१४२।। ટીકાર્ચ - સામેવાડ્યું. માથાર્થ અને આરંભવાળાને વિહિત એવી આ પ્રાયઃ આરંભાતરની=સંસારિક આરંભની નિવૃત્તિ આપનારી છે; કેમ કે વિધિપૂર્વક કારણ છે અર્થાત વિધિપૂર્વક કરાય છે. એ રીતે પણ આરંભાનરની નિવૃત્તિને આપનાર છે એ રીતે પણ, વિહિતપર=વિહિત એવા અનુષ્ઠાનમાં તત્પરને, અનિદાન=આશંસારહિત કરાયેલી એવી આ પણ=પીડા પણ, મોક્ષફલા=મોક્ષફલ માટે, ઈષ્ટ છે, અભ્યદય માટે જ નહિ અર્થાત કેવલ અબ્યુદય માટે જ ઈષ્ટ નથી. II૧૪૨ાા છેઅહીં પ્રસ્તુત ગાથા-૧૪૨ની ટીકામાં વપ વનલીના વિદિત પરચેષ્ટા' આ પ્રમાણે પાઠ છે ત્યાં પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૪૧માં ‘વવ વનવાના વિહિતરસ્ય રૂ' આ પ્રમાણે પાઠ છે અને તે સંગત લાગે છે. તેથી તે પાઠ લઈને તે મુજબ અત્રે અર્થ કરેલ છે. ભાવાર્થ : જિનભવનાદિમાં થતી પૃથ્વી આદિ જીવોને જે પીડા છે, તે આરંભવાળાને પ્રાયઃ આરંભાન્તરની નિવૃત્તિ આપનારી છે. સંસારમાં રહેનાર ગૃહસ્થ સંયમ ગ્રહણ કરેલું નથી માટે તે આરંભવાળો છે, અને જ્યારે જિનભવનાદિ કરે છે ત્યારે સંસારના આરંભાન્તર=જિનભવનના આરંભથી અન્ય જે સંસારિક આરંભ, તેની નિવૃત્તિ આપનારી છે. વિવેકસંપન્ન શ્રાવક જ્યારે જિનભવન કરાવતો હોય ત્યારે તે માને છે કે, સંસારના સર્વ આરંભો અત્યંત હેય છે અને સંયમ જ ઉપાદેય છે અને જ્યાં સુધી સંયમની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમના ઉપાયભૂત દ્રવ્યસ્તવ જ કરવા જેવો છે. તેથી સંસારના અન્ય આરંભને છોડીને જ્યારે તે દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે તે વિધિપૂર્વક જ કરે છે, તેથી તે વખતે જેમ સ્વરૂપથી અન્ય આરંભની નિવૃત્તિ છે, તેમ ફળથી પણ અન્ય આરંભની નિવૃત્તિ છે; કેમ કે સંસારના અન્ય આરંભ કરવા જેવા નથી એવી બુદ્ધિ તેને વૃદ્ધિમતું થાય છે અને ભગવાનની ભક્તિ જ કરવા જેવી છે એવી બુદ્ધિ તેને પુષ્ટ બને છે. તેથી દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિની હિંસા આરંભાન્તરની=સંસારિક આરંભની નિવૃત્તિ આપનારી છે. ભગવાનની પૂજામાં થતી પૃથ્વી આદિ જીવોને જે પીડા છે, તે પ્રાયઃ આરંભાન્તરની નિવૃત્તિ આપનારી છે એમ કહ્યું. અહીં “પ્રાયઃ' કહેવાથી એ કહેવું છે કે, જે વિવેકસંપન્ન શ્રાવક જિનમંદિર નિર્માણમાં યત્ન કરતો હોય, ત્યારે શાસ્ત્રમાં વિધિ છે કે, જિનમંદિર નિર્માણની ક્રિયા દરમ્યાન શ્રાવકે સંસારના સર્વ વ્યાપારાદિ બંધ કરીને માત્ર જિનમંદિર નિર્માણમાં પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. તેથી જિનમંદિર નિર્માણ દરમ્યાન શ્રાવક સંસારના સર્વ વ્યાપાર આદિની પ્રવૃત્તિ બંધ કરીને માત્ર ધર્મમાં જ પ્રવૃત્તિશીલ રહે છે, તેથી
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy