SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા શતક ભાગ-૩ | પરિણા | ગાથા-૮૩ અવતરણિકા – सुवर्णगुणानाह - અવતરણિકાર્ય - સુવર્ણના ગુણો કહે છે – ગાથા - "विसघाइरसायणमंगलत्थविणए पयाहिणावत्ते । गुरुए अडज्झऽकुत्थे अट्ठ सुवण्णे गुणा हुंति" ।।३।। ગાથાર્થ : “વિષઘાતી, સાયણ, મંગલપ્રયોજન, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ, અકુથનીય - આઠ સુવર્ણના ગુણો છે. Ical ટીકા - विषघाति सुवर्णम्, तथा रसायणं-वयःस्तम्भनम्, मङ्गलार्थं-मङ्गलप्रयोजनम्, विनीतंकटकादियोग्यतया, प्रदक्षिणावर्त्तमग्नितप्तम् प्रकृत्या, गुरु सारतया, अदाचं सारतयैव, अकुथनीयमत एव, एवमष्टौ सुवर्णगुणा भवन्त्यसाधारणा इति गाथार्थः ।।८३।। ટીકાર્ય : વિષયતિ ..... નાથાર્થ II સુવર્ણ (૧) વિષઘાતી છે અને (૨) રસાયણ વયસ્તંભન કરનાર છે. (૩) મંગલાર્થ=મંગલ પ્રયોજનવાળું છે. (૪) કટકાદિ બનવાની યોગ્યતા હોવાને કારણે વિનીત છે. (૫) પ્રકૃતિથી=સ્વાભાવિક રીતે, અગ્નિમાં તપાવેલું પ્રદક્ષિણાવર્ત છે. (૬) સારપણું હોવાને કારણે ગુરુ છે. (૭) સારપણું હોવાને કારણે જ અદાઢ છે. (૮) આથી કરીને જ=સારપણું હોવાને કારણે જ અકુથનીય છે. આ પ્રમાણે આઠ અસાધારણ સુવર્ણના ગુણો છે એ પ્રમાણે ગાથાર્થ છે. I૮૩ ભાવાર્થ :- પૂર્વે ગાથા-૮૨માં વ્યતિરેક દૃષ્ટાંતરૂપ સુવર્ણ કહ્યું, તે સુવર્ણના આઠ ગુણોને આ ગાથામાં બતાવેલ છે. તે ગુણો આ પ્રમાણે છે – (૧) સુવર્ણ વિષનો ઘાત કરનાર છે. (૨) સુવર્ણ વયનું સ્તંભન કરે છે અર્થાત્ સુવર્ણનો આહારમાં ઉપયોગ કરવાથી વૃદ્ધપણું જલદી આવવા દેતું નથી, માટે રસાયણ છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy