SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૫૩ થી ૬૧ ૨૦૧ જ કરણરૂપ છે. તેથી એ ફલિત થાય કે, કાયાનો ક૨ણરૂપ વ્યાપાર, વચનનો કરાવણરૂપ વ્યાપાર અને મનનો અનુમોદનરૂપ વ્યાપાર એ ત્રણ યોગો છે. તેથી “યો મનોવ્યાપારાય:” કહેલ છે. ત્રણ કરણો મન, વચન અને કાયા ત્રણ ક૨ણોસાધનો છે. ગાથા-૫૫માં કહ્યું છે કે, મન આદિ ત્રણ કરણો સાધનો છે. ચાર સંજ્ઞા આહાર, ભય, મૈથુન અને પરિગ્રહવિષયક છે. પાંચ ઇન્દ્રિયો સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્રરૂપ છે. * અહીં મૂળ ગાથામાં શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયો કહેલ છે, તેથી પશ્ચાનુપૂર્વીથી પાંચ ઇન્દ્રિયો સમજવી; કેમ કે ઉપર ઉપરના ગુણોની પ્રાપ્તિથી શીલાંગો સાધ્ય છે, એ જણાવવા અહીં ઇન્દ્રિયોનું વર્ણન પશ્ચાનુપૂર્વીથી કર્યું છે. આ કથન પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૧૬૪માં છે. ભૂખ્યાદિ નવ જીવો પૃથિવી, અપ્, તેઉ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેંદ્રિય એ નવ જીવકાય છે. પુસ્તકપંચક, ચર્મપંચક, તૃણપંચક અને શુષિરપંચક એ અજીવકાય છે. આ કથન પંચવસ્તુક ગ્રંથની ગાથા-૧૧૬૫માં છે. દેશ શ્રમણધર્મ ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ=સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એમ દશ છે. આ યોગ આદિની મૂળ સંખ્યાને યંત્રરૂપે સ્થાપન કરતાં ૩x૩=૯, ૯x૪=૩૬, ૩૬૪૫=૧૮૦, ૧૮૦૧૦=૧૮૦૦, ૧૮૦૦૪૧૦=૧૮૦૦૦ શીલાંગો થાય છે. તેની ભાવના આ=વક્ષ્યમાણ=હવે પછીની ગાથામાં બતાવે છે. અવતરણિકા : भावनामेवाह અવતરણિકાર્થ : અઢાર હજાર શીલાંગોની ભાવનાને જ કહે છે 211211 : " ण करेइ मणेणाहारसन्नविप्पजढओ उ णियमेण । सोइंदियसंवुडो पुढविकायआरंभं खंतिजुओ" ।।५७।। ગાથાર્થ ઃ આહારસંજ્ઞાથી રહિત, વળી નિયમથી શ્રોત્રેન્દ્રિયથી સંવૃત, ક્ષમાયુક્ત એવો સાધુ મનથી પૃથ્વીકાયના આરંભને કરતો નથી. II૫૭II
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy