SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૫ ચિત્ત જેમાં રસ લઈ શકે તેવી કોઈ ઐહિક કાર્યની પ્રવૃત્તિ કરે, કે જેથી પોતાના અભિગ્રહનું ઉલ્લંઘન ન થાય, તો તે ઐહિક કાર્યકરણ પણ ગ્રહણ કરેલ અભિગ્રહના પાલન અર્થે હોવાથી કર્મબંધનું કારણ બનતું નથી. પરંતુ તેનો યત્ન વ્રતના પાલન પ્રત્યેના પરિણામના કારણે તે ઐહિક કાર્ય કરવા માટે છે, તેથી તે ઐહિક કાર્ય કરવાથી કર્મબંધરૂપે ફળ મળતું નથી, પરંતુ નિર્જરાનું ફળ મળે છે, તેથી ત્યાં દોષ નથી. તે જ રીતે પ્રસ્તુતમાં દ્રૌપદીએ જે વ્રતો ગ્રહણ કર્યાં હતાં, તેનું સારી રીતે પાલન થઈ શકે તે માટે, તેને અનુરૂપ વરની પ્રાપ્તિ અર્થે સ્વયંવર મંડપમાં જતાં પૂર્વે પૂજા કરેલ હોય, અને તે પૂજાકાળમાં વ્રતપાલનની આશંસા કરી હોય તો તેમાં દોષ નથી; કેમ કે ત્યાં સુંદર પતિ મને મળો એવી આશંસા નથી, પરંતુ પોતાના વ્રતના નિર્વાહને અનુરૂપ એવા પતિની આશંસા છે, તેથી પરમાર્થથી તે વ્રતના નિર્વાહની જ આશંસા છે. તે જ રીતે પદ્મનાભ રાજાએ જ્યારે તેનું અપહરણ કરાવી તેને કન્યાના અંતઃપુરમાં રાખી, ત્યારે દ્રૌપદીએ છઠ્ઠ, છઠ્ઠના પારણે કરેલ આયંબિલનો તપ પદ્મનાભના કબજામાંથી છૂટવા માટે કરેલ હોવા છતાં ત્યાં તેનો આશય, હું પદ્મનાભના કબજામાંથી છૂટું કે જેથી શીલને સારી રીતે પાળી શકું, એવો હોવાથી તે માટે કરેલ તપ દોષરૂપ નથી; કેમ કે ત્યાં પદ્મનાભના કબજામાંથી છૂટવાનો આશય પણ શીલધર્મના પાલનમાં વિશ્રાંત થાય છે. માટે દ્રૌપદીએ પોતાના શીલના રક્ષણ અર્થે પદ્મનાભથી મુક્ત થવાની આશંસા કરી અને તેના માટે તપ કર્યો તે દોષરૂપ નથી. અહીં પૂર્વપક્ષી લુપાક કહે કે, પૂજાદિ અનંતર જ=પૂજા અને “આદિ' પદથી પ્રાપ્ત જે છઠ્ઠ, છઠ્ઠના પારણે આયંબિલ તપ, તે કર્યા પછી જ દ્રૌપદી વડે સમ્યક્ત પ્રાપ્ત કરાયેલ અર્થાત્ દ્રૌપદીએ પૂજાદિ કૃત્યો મિથ્યાત્વ અવસ્થામાં કર્યા છે, અને ત્યાર પછી કોઈક તથાવિધ નિમિત્તને પામીને સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે. તેથી મિથ્યાત્વ અવસ્થામાં કરેલ તેની પૂજાને પ્રમાણ ગણીને પૂજાને કર્તવ્ય માની શકાય નહિ. તેના નિરાકરણરૂપે ગ્રંથકારશ્રી કહે છે – પૂનાથનારમેa ... સ્થિર માત્રા પૂજાદિ અનંતર જ તેણી વડે=દ્રૌપદી વડે, સમ્યક્ત પ્રાપ્ત કરાયું એ પણ સૂત્રાક્ષરદર્શન વગર બુદ્ધિનું આંધ્યકરણમાત્ર છેઃઅંધકરણમાત્ર છે—સત્ શાસ્ત્રના સમ્યફ પદાર્થોને યથાર્થ જોડવા પ્રત્યે બુદ્ધિને અપ્રવર્તાવવા સ્વરૂપ છે. પૂનાનત્તરમેવ - અહીં ‘ગારિ’ પદથી પદ્મનાભના કબજામાંથી છૂટવા છદ-છઠ્ઠના પારણે આયંબિલ તપ કર્યો તેનું ગ્રહણ કરેલ છે. નમિત્ય - અહીં ‘'થી એ કહેવું છે કે, દ્રૌપદીએ તપ-પૂજા વગેરે ઈહલોક અર્થે કર્યું એમ કહેવું એ સૂત્રાશર વગર જેમ મૃષા છે, તેમ પૂજાદિ અનંતર જ દ્રૌપદીએ સમ્યક્ત પ્રાપ્ત કરેલ છે, એમ કહેવું એ પણ સૂત્રાશરદર્શન વગર ધ્યાધ્યકરણમાત્ર છેકબુદ્ધિનું અંધકરણમાત્ર છે. અહીં પૂર્વપક્ષી=લ્પાક, કહે કે દ્રૌપદીએ પૂર્વભવમાં પાંચ પતિની પ્રાપ્તિ અર્થે કરેલું જે નિદાન, તેનું ફળ પાંચ પતિની પ્રાપ્તિ થવી અને તેનો ઉપભોગ કર્યા પછી જ દ્રૌપદીને દેશવિરતિનો સંભવ છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy