SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રતિમાશતક | શ્લોક : ૪૫ એ છે કે, જે જીવ સ્યાદ્વાદને સ્વીકારતો હોય છતાં અર્થથી એકાંતવાદનો આશ્રય કરતો હોય, ત્યારે સ્વપક્ષને પુષ્ટ ક૨વા માટે જ એ શાસ્ત્રવચનોને જોડવા માટે તે યત્ન કરતો હોય છે. પ્રસ્તુતમાં લુંપાક સ્યાદ્વાદને માને છે, તો પણ તે જિનપ્રતિમાને સાવઘ કહીને સ્થાપના નિક્ષેપાનો એકાંતે અપલાપ કરે છે, તેથી તે અપેક્ષાએ તે એકાંતવાદી છે. તેથી શાસ્ત્રનાં વચનોને પોતાની પુષ્ટિ કરવા અર્થે જ તે જોડવા યત્ન કરતો હોય છે, તેથી તે છિદ્રાન્વેષી છે. અને તેવા જીવને મિશ્રિતદોષને આશ્રયીને દ્રવ્યસ્તવની નિંદાનાં વચનોને ગ્રહણ કરીને સંપૂર્ણ દ્રવ્યસ્તવના નિષેધને કરવારૂપ છલની પ્રાપ્તિ સુલભ બને છે. શાસ્ત્રવચનો જે અર્થને બતાવે છે, તે અર્થને ગ્રહણ કરવાને બદલે પોતાની મતિ પ્રમાણે અર્થનું ગ્રહણ કરવું તે છલ છે, અને તેવું છલ છિદ્રાન્વેષી જીવોને સુલભ હોય છે. દ્રવ્યસ્તવ યદ્યપિ સ્વરૂપથી સાવદ્ય છે, પરંતુ અનુબંધથી નિરવઘ છે; તો પણ પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવને સ્વરૂપથી શુદ્ધ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, જે વસ્તુ આત્મકલ્યાણનું કારણ હોય તે સ્વરૂપથી શુદ્ધ છે, પરંતુ અન્ય ઉપાધિને કારણે સદોષ છે; અર્થાત્ મઠાધીશની પ્રવૃત્તિને કારણે દ્રવ્યસ્તવ સદોષ છે, તે બતાવવા અર્થે દ્રવ્યસ્તવને સ્વરૂપથી શુદ્ધ કહેલ છે. શાસ્ત્રમાં અન્યત્ર દ્રવ્યસ્તવને સ્વરૂપથી સાવઘ કહ્યું, ત્યાં દ્રવ્યસ્તવની ક્રિયા પૃથ્વીકાયાદિના ઉપમર્ધનરૂપ હોવાથી સ્વરૂપથી સાવદ્યરૂપ કહેલ છે, અને તે ક્રિયા દ્વારા આત્માના ગુણોનો વિકાસ થાય છે, તે અપેક્ષાએ અનુબંધથી નિરવઘ કહેલ છે. ઉત્થાન : શ્લોકના પૂર્વાર્ધનું કથન ટીકામાં કહ્યું, તે જ વાતને દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરતાં ‘યથા’ થી કહે છે - ટીકાઃ यथा खेदोद्वेगादिदोषमिश्रितमावश्यकादि निषिद्धमिति दुष्पाल्यत्वादावश्यकमेवैदंयुगीनानामकर्त्तव्यमित्याध्यात्मिकादयो वदन्ति - विधिभक्तिविकलो द्रव्यस्तवो निष्फलः स्यात् । तदाह 'जं पुण एयवियुत्तं एगंतेणेव भावसुन्नं ति । तंविसम्म विणतओ भावत्थयाहेउओ णेयं' (पञ्चां० ६ गा० ९) - યવનુષ્ઠાનમ્ ત=વિત્યમ્, માવો=વહુમાનમ્, વિષયેપિ-વીતરોપિ વિધીયમાનમ્, ત:=દ્રવ્યસ્તવઃ । तथा प्रकृतेऽपि मठमिश्रितदेवकुलादिकं नाचार्येणानुमतमित्यादिकं पुरस्कृत्य द्रव्यस्तव एव न कार्य इति लुम्पका वदन्ति । ટીકાર્ય - यथा . સ્વાત્ । જે પ્રમાણે ખેદ-ઉદ્વેગાદિ દોષથી મિશ્રિત આવશ્યકાદિ નિષિદ્ધ છે, એથી કરીને દુઃખેથી પાલન થઈ શકે તેમ હોવાથી આ યુગવાળાને આવશ્યક જઅકર્તવ્ય છે, એ પ્રકારે જેમ
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy