SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૮ પ્રતિમાશતકશ્લોકઃ ૩૭ નિર્દેશ કરેલ છે, પરંતુ એકનો નહિ. અને ‘વ’ કાર થી એ પ્રાપ્ત થાય છે કે, નિગ્રંથો અથવા નિગ્રંથીઓને નદી ઊતરવી કલ્પતી નથી, તેથી બંને સંયમી હોવાથી પ્રાયઃ તુલ્ય અનુષ્ઠાનવાળાં છે, તે ઘોતન કરવા માટે ‘વ’ કાર કહેલ છે. અને બે ‘વ’ કાર વાક્યરચનાના નિયમ પ્રમાણે એક કે બંને કરી શકાય છે, તેથી કરેલ છે. જેમ રમો વા નક્ષ્મણો વા' અથવા “રાનો નક્શો વા' એ બંને પ્રયોગ થઈ શકે છે, પરંતુ એકને બદલે બે ‘વ’ કાર છે, તેને કારણે બંનેને તુલ્ય અનુષ્ઠાન છે, તેનો અર્થ ફલિત થતો નથી. રૂમ . પ્રત્યક્ષાસૂત્ર, મૂળ સૂત્રમાં “મ' શબ્દનો પ્રયોગ ‘આ’ અર્થમાં છે. તેમાં પ્રસ્તુતમાં નદી સન્મુખ નહિ હોવાથી આ નદીઓ એ પ્રમાણે કહી શકાય નહિ, તેથી કહે છે કે, આગળમાં કહેવાનારા નામથી પ્રત્યક્ષ આસન્ન હોય તેવી આ નદીઓ છે, તે બતાડવા માટે “રૂમ' શબ્દનો પ્રયોગ છે. અર્થાતુ ચલુથી પ્રત્યક્ષ નથી, પરંતુ આગળમાં કહેવાનારા નામથી શ્રોત્રેન્દ્રિય દ્વારા થનારા પ્રત્યક્ષને આસન્ન એવી આ નદીઓ છે, તે બતાડવા માટે ‘રૂમ' શબ્દનો પ્રયોગ છે. મૂળસૂત્રમાં ‘ ગો’ પદ છે, તેનો અર્થ કરે છે - દિષ્ટ ... માનદ્ય તિ ઉદિષ્ટ અર્થાત્ સામાન્યથી કહેવાયેલી જે પ્રમાણે મૂળમાં મહાનદી કહી છે, તે ઉદ્દિષ્ટ શબ્દનો અર્થ છે. મૂળમાં યારો' પદ છે, તેનો અર્થ આ પ્રમાણે - તા ..... પધ્ધેતિ, ગણિત એટલે જેમ પાંચ નદીઓ છે એમ કહેવું તે, એ પ્રમાણે અર્થ જાણવો. મૂળમાં ‘વનિયમો’ પદ છે, તેનો અર્થ આ પ્રમાણે - વ્યક્ઝિતા ..... મદાવા ર | વ્યંજિત તે વ્યક્તિકૃત અર્થમાં છે. જેમ ગંગા ઈત્યાદિ મૂળમાં કહેવાયેલી, તે નામથી વ્યંજિત છે, અથવા વિશેષણના ઉપાદાનથી જેમ મહાર્ણવ મૂળમાં કહેવાયેલ છે, અર્થાત્ મહાર્ણવ એ પ્રમાણે વિશેષણના ઉપાદાનથી વ્યક્ત કરાઈ. નદીના વિશેષણરૂપ જે મહાર્ણવ શબ્દ છે, તેનાથી વ્યક્ત કરાયેલ પાંચ નદીઓ છે. મહાર્ણવ એટલે શું ? તેનો અર્થ કરે છે. તત્ર ..... મદાવા I ત્યાં ઘણા જળવાળી હોવાથી મોટા અર્ણવ જેવી અથવા જે મહાસમુદ્રમાં જનારી તે મહાર્ણવા કહેવાય. મહાનદીનો અર્થ કરે છે – મદીન =ાનિન , મોટી ઊંડાઈવાળી તે મહાનદી કહેવાય છે. અન્તર ... mતે, માસની અંદર બે કે ત્રણવાર બાહુજંઘાદિથી ઊતરવા માટે કે સાંગત્યથી તરવા માટે અર્થાત્ નાવાદિથી તરવા માટે (કલ્પ નહિ.) અહીં સન્તરિતું માં સન્ નો અર્થ સ ત્યેન કર્યો. તેથી એ પ્રાપ્ત થાય છે, સંગતપણાથી તરવું તે ‘સન્તરિતું' નો અર્થ છે. અને સંગતપણાથી શું એ બતાવવા અર્થે જ કહે છે કે, નાનાદિથી જે કરવું તે ‘સન્તરિતું' નો અર્થ છે. સત્યેન પછી ‘ા' કાર છે તે સ્થાનાંગમાં નથી. તે વધારાનો લાગે છે અને ત્યારપછી રથિતુમેવ થી
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy