SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ પ્રતિમાશતક, શ્લોક : ૧૪ ક્ષયોપશમ છે નિમિત્ત જેને એવા સદ્ધર્મવ્યવસાયનું ભાવપણું છે, અને ભાવાનુગત સમ્યગ્દષ્ટિની ક્રિયાનું ક્રિયાંતરની જેમ ધર્મપણું છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, વ્યવસાયસભાથી ક્ષયોપશમ કેવી રીતે થાય ? કેમ કે ક્ષયોપશમ પ્રત્યે તો જીવનો અંતરંગ યત્ન જ કારણ છે. તેથી કહે છે - ટીકાર્ય : વ્યવસાય ... નસદ્ધ ક્ષેત્રાદિનું પણ કર્મના ક્ષયોપશમાદિમાં હેતુપણું હોવાથી જિનશાસનમાં વ્યવસાયસભાનું શુભ અધ્યવસાયનું નિમિત્તપણું અસિદ્ધ નથી. તલુન્ - તે કહેવાયેલું છે - ૩ય .... વિવૃત્તમાર્ત . કારણથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્રયીને કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ કહેવાયેલા છે. “ત્તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે, અને જીવાભિગમની વૃત્તિમાં વિજયદેવના અધિકારમાં પ્રકૃતિસ્થળમાં=પ્રતિમાઅર્ચન સ્થળમાં, (કર્મના ઉદયાદિ દ્રવ્યાદિને આશ્રયીને કઈ રીતે થાય છે તે) વિવરણ કરાયેલ છે. ઉત્થાન - પૂર્વમાં ઉદ્ધરણમાં બતાવ્યું કે, કર્મનો ક્ષયોપશમ દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રયીને થાય છે, એ વાત, જીવાભિગમની વૃત્તિમાં વિજયદેવના અધિકારમાં પ્રતિમાના અર્ચનના સ્થળમાં વર્ણન કરાયેલ છે. તેથી પ્રશ્ન થાય કે, એ પાઠ પણ જિનપ્રતિમાની પૂજાનું સ્થાપન કરનાર છે, તે અહીં કેમ આપ્યો નથી? તેથી કહે છે - ટીકાર્ય : તારાપરા ..... ૧ પૃથન્જિવિતા I તેનો આલાપક=વિજયદેવતા અધિકારનો આલાપક, પ્રકૃત આલાપકથી અવિશિષ્ટ સમાન, છે એથી કરીને પૃથ લખ્યો નથી. વિશેષાર્થ : જિનપ્રતિમાનું અર્ચન સદ્ધર્મવ્યવસાયપૂર્વક છે, જ્યારે વાવડી આદિનું પૂજન એ આનુષંગિક છે, પરંતુ સદ્ધર્મવ્યવસાયપૂર્વક નથી, તેથી તે બંનેમાં ભેદ છે. અહીં પ્રશ્ન થાય કે સદ્ધર્મવ્યવસાય હોવાને કારણે જિનપ્રતિમાનું પૂજન મોક્ષહેતુક છે એમ કઈ રીતે નક્કી થાય ? તેથી કહે છે કે, વ્યવસાયસભામાં થનારો જે ક્ષયોપશમ તે છે નિમિત્ત જેને એવો જે સદ્ધર્મનો વ્યવસાય, તે ભાવરૂપ છે; અને ભાવપૂર્વકની જિનપ્રતિમાની પૂજા એ મોક્ષાર્થક હોવાથી ધર્મરૂપ બને છે. તકુથી તેમાં સાક્ષી આપી તેનો ભાવ એ છે કે, જીવાભિગમની વૃત્તિમાં વિજયદેવના અધિકારસ્થળમાં કર્મનો ઉદય, કર્મનો ક્ષય, કર્મનો ક્ષયોપશમ અને કર્મનો ઉપશમ થાય છે તે કથનમાં, ક્ષેત્રનું પણ ગ્રહણ
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy