________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫
"विसयसरुवणुबंधेण होइ सुद्धो तिहा इहं धम्मो ।
जंता मुक्खासयाओ सव्वो किल सुन्दरो णेओ ।। " ( विंशतिविंशिका - ३ /२० ) इति । વિષવશુદ્ધાવિમેવ ચાય યોગવિન્તાવુપશિતઃ (૨૨) -
“विषयात्मानुबन्धैस्तु त्रिधा शुद्धमुदाहृतम् ।
अनुष्ठानं प्रधानत्वं ज्ञेयमस्य यथोत्तरम् ।। आद्यं यदेव मुक्त्यर्थं क्रियते पतनाद्यपि । तदेव मुक्त्युपादेयलेशभावाच्छुभं मतम् ।। द्वितीयं तु यमाद्येव लोकदृष्ट्या व्यवस्थितम् । न यथाशास्त्रमेवेह सम्यग्ज्ञानाद्ययोगतः ।। तृतीयमप्यदः किन्तु तत्त्वसंवेदनानुगम् । प्रशान्तवृत्त्या सर्वत्र दृढमौत्सुक्यवर्जितम् ।।"
393
ટીકાર્ય ઃ
तेनानुमोदना દૃઢમોત્પુનિતમ્ ।। ‘તેનં તિ’ પ્રતીક છે. તે કારણથી=અનુમોદના-પ્રશંસાના વિષયભેદનો અભાવ હોવાથી, સર્વશુદ્ધ એવું=સ્વરૂપશુદ્ધ એવું, દયા, દાન, શીલાદિ કૃત્ય જાતિથી= સ્વરૂપયોગ્યતાવચ્છેદકરૂપથી, અનુમોદનીય અને પ્રશંસનીય છે; કેમ કે જે સ્વરૂપના અવચ્છેદનથી=જે ધર્મ સ્વરૂપથી, જેમાં=જે કૃત્યમાં, સુંદરપણાનું જ્ઞાન છે, તરૂપવિશિષ્ટપ્રતિસંધાનનું=તે ધર્મથી વિશિષ્ટ એવી તે વસ્તુના પ્રતિસંધાનનું, તપાવચ્છિન્ન વિષયક=તે ધર્મવાળી વસ્તુ વિષયક, હર્ષજનકપણું છે. આથી જ=સ્વરૂપશુદ્ધ કૃત્ય જાતિથી અનુમોઘ છે આથી જ, સર્વશુદ્ધ આહારગ્રહણ-દાનાદિ વ્યક્તિનું અસુંદરપણું હોવા છતાં પણ, કેટલાક અપવાદકાલભાવિ અશુદ્ધ આહારગ્રહણ-દાનાદિ વ્યક્તિનું સુંદરપણું હોવા છતાં પણ, સાધુને=શુદ્ધ આહારગ્રહણ સુંદર છે અને શ્રાવકને શુદ્ધ આહારનું દાન સુંદર છે એ પ્રકારનો આ જ ઉપદેશ યુક્ત છે. પરંતુ અશુદ્ધ આહારગ્રહણ-દાનનો ઉપદેશ પણ યુક્ત નથી; કેમ કે તેનું=ઉપદેશનું, સામાન્ય પર્યવસાયિપણું છે=ઉત્સર્ગમાર્ગમાં પર્યવસાયિપણું છે, અને સામાન્ય પર્યવસાનનું સ્વરૂપશુદ્ધ વસ્તુમાં જ ઉચિતપણું છે. સ્વરૂપશુદ્ધ વસ્તુ જાતિથી પણ અનુમોદન કરાતું હિતાવહ છે. ‘કૃતિ’ શબ્દ જાતિથી અનુમોદનીય અને પ્રશંસનીયતા કથનની સમાપ્તિ માટે છે.
ભાવવિશિષ્ટ વળીઅપુનબંધકાદિ ભાવથી યુક્ત વળી, અન્ય પણ વિષયશુદ્ધાદિ પણ વસ્તુ-વિષય શુદ્ધાદિ પણ અનુષ્ઠાન, અનુમોદ્ય છે; કેમ કે ‘ભાવવિશિષ્ટ ક્રિયા સુંદર છે.' ઇત્યાદિ પ્રશંસાથી ભાવના