SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૧ ૩૫૩ અવતરણિકા : नन्वेवं विधिविकलव्यवहारस्याराधकत्वाप्रयोजकत्वेऽपि विधिशुद्धव्यवहारस्य भावहीनस्याप्याराधकत्वप्रयोजकत्वे किं बाधकं ? परं प्रति तस्य निश्चयप्रापकत्वाद्, इत्यत आह - અવતરણિકાર્ચ - આ રીતે ગાથા-૩૦માં કહ્યું એ રીતે, વિધિવિકલ વ્યવહારનું આરાધકપણામાં અપ્રયોજકપણું હોતે છતે પણ ભાવહીન=મોક્ષને અનુકૂલ એવા ભાવલેશથી પણ હીન, એવા વિધિશુદ્ધ વ્યવહારના આરાધકપણાના પ્રયોજકપણામાં શું બાધક છે ? અર્થાત્ બાધક નથી; કેમ કે બીજાના પ્રત્યે તેનું વિધિશુદ્ધ વ્યવહારનું, નિશ્ચય પ્રાપકપણું છે. તેથી કહે છે – ભાવાર્થ : ગાથા-૩૦માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સર્વથા વિધિથી રહિત એવી ક્રિયાથી જીવોને આરાધક સ્વીકારી શકાય નહિ એ રીતે સર્વથા વિધિથી વિકલ એવી ક્રિયાથી વ્યવહારની ક્રિયા આરાધક થવામાં કારણ નથી. તો પણ કોઈ જીવ મોક્ષને અનુકૂલ ભાવથી રહિત બાહ્ય વિધિશુદ્ધ ક્રિયા કરે તેને આરાધક સ્વીકારવો જોઈએ; કેમ કે તેની વિધિશુદ્ધ ક્રિયાને જોઈને અન્ય જીવો તેવી ક્રિયાને કરીને નિશ્ચયને અનુકૂળ એવા પરિણામને પ્રાપ્ત કરી શકશે, જેમ અંગારમદકના શિષ્યો અંગારમદકની ક્રિયાને જોઈને ભાવથી સંયમની પરિણતિને પામ્યા. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ કરતાં કહે છે – ગાથા : भावुज्झियववहारा ण किंपि आराहगत्तणं होइ । भावो उ बोहिबीजं सवण्णुमयंमि थोवोवि ।।३१।। છાયા : भावोज्झितव्यवहारान किमप्याराधकत्वं भवति । भावस्तु बोधिबीजं सर्वज्ञमते स्तोकोऽपि ।।३१।। અન્વયાર્થ : માવિવશRT=ભાવથી રહિત એવી વ્યવહારની ક્રિયાથી, વિષ સારી જ હોડ઼ કંઈ પણ આરાધકપણું થતું નથી. ૩=વળી, સવ્ય,મયંમિ=સર્વજ્ઞના મતમાં, થોવોવિ માવો થોડો પણ ભાવ તે તે ક્રિયામાં અપેક્ષિત તે તે ક્રિયાથી જન્ય થોડો પણ ભાવ, વોદિવીનં બોધિતું બીજ છે. ૩૧
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy