SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૮ सुअवं ति कोऽर्थः? अणुवरए विण्णायधम्मेत्ति पापादनिवृत्तो विज्ञातधर्मा चाविरतसम्यग्दृष्टिरितिभावः । देसविराहएत्ति देशं स्तोकमंशं ज्ञानादित्रयरूपस्य मोक्षमार्गस्य तृतीयभागरूपं चारित्रं विराधयतीत्यर्थः, प्राप्तस्य तस्यापालनाद् अप्राप्तेर्वा । सव्वाराहएत्ति सर्वं त्रिप्रकारमपि मोक्षमार्गमाराधयतीत्यर्थः, श्रुतशब्देन ज्ञानदर्शनयोः संगृहीतत्वात्, न हि मिथ्यादृष्टिर्विज्ञातधर्मा तत्त्वतो भवति । एतेन समुदितयोः शीलश्रुतयोः श्रेयस्त्वमुक्तम्' इति ।।१८।। ટીકાર્ચ - પસ્મિન્ ..... શ્રેત્રમુગુ તિ ! “મ્પિત્તિ” પ્રતીક છે. સદાચાર ક્રિયારૂપ આ માર્ગાનુસારી ભાવ હોતે છતે જ્ઞાન-દર્શનના યોગ અને અયોગ દ્વારા આરાધક-વિરાધકપણાના દેશ અને સર્વકૃત ચાર ભંગનો સમુદાય શ્રુતસિદ્ધ છે. તે આ પ્રમાણે-(૧) માર્થાનુસારીક્રિયાવાળો અને જ્ઞાન-દર્શનથી હીત દેશઆરાધક છે. તે પ્રથમ ભંગ છે. (૨) જ્ઞાનદર્શનસંપન્ન અને ક્રિયાથી હીન દેશવિરાધક છે. તે બીજો ભંગ છે. (૩) જ્ઞાનદર્શનસંપન્ન અને ક્રિયાસંપન્ન સર્વઆરાધક છે. તે ત્રીજો ભંગ છે. (૪) જ્ઞાનદર્શનઅસંપન્ન અને ક્રિયાથી હીન સર્વવિરાધક છે. તે ચોથો ભંગ છે. અને તે પ્રમાણે આરાધક-વિરાધકના ચાર ભાંગા બતાવ્યા તે પ્રમાણે, ભગવતીસૂત્ર છે – આ રીતે આગળ કહે છે એ રીતે, મારા વડે=ભગવાન વડે, ચાર પુરુષનો સમુદાય કહેવાયો છે. તે આ પ્રમાણે – -(૧) કેટલાક શીલસંપન્ન છે, શ્રુતસંપન્ન નથી, (૨) કેટલાક શ્રુતસંપન્ન છે, શીલસંપન્ન નથી, (૩) કેટલાક શીલસંપન્ન પણ છે મૃતસંપન્ન પણ છે અને (૪) કેટલાક શ્રુતસંપન્ન નથી, શીલસંપન્ન નથી. ત્યાં ચાર પ્રકારના પુરુષના સમુદાયમાં, જેઓ તે પ્રથમ પુરુષસમુદાય છે, તે પુરુષો શીલવાન છે અને અશ્રુતવાન છે ઉપરત અને અવિજ્ઞાત ધર્મવાળા છે–પાપથી ઉપરત હોવાને કારણે શીલવાળા છે અને અવિજ્ઞાત ધર્મવાળા હોવાને કારણે અમૃતવાળા છે. હે ગૌતમ ! આ પુરુષનો સમુદાય મારા વડે દેશઆરાધક કહેવાયો છે. ત્યાં ચાર પ્રકારના પુરુષના સમુદાયમાં, જે તે બીજો પુરુષસમુદાય છે તે પુરુષો અશીલવાન અને શ્રતવાન છેઅનુપરત અને વિજ્ઞાતધર્મવાળો છે.=પાપથી અનુપરત હોવાને કારણે અશીલવાન અને વિજ્ઞાતધર્મવાળો હોવાને કારણે મૃતવાન છે. હે ગૌતમ ! આ પુરુષ મારા વડે દેશવિરાધક કહેવાયો છે. ત્યાં=ચાર પ્રકારના પુરુષના સમુદાયમાં, જે તે ત્રીજો પુરુષસમુદાય છે તે પુરુષો શીલવાન અને મૃતવાન છે=ઉપરત અને વિજ્ઞાતધર્મવાળો છે.=પાપથી ઉપરત હોવાને કારણે શીલવાન છે અને વિજ્ઞાતધર્મવાળો હોવાને કારણે મૃતવાન છે. હે ગૌતમ ! આ પુરુષ મારા વડે સર્વઆરાધક કહેવાયો છે. ત્યાં ચાર પ્રકારના પુરુષના સમુદાયમાં, જે તે ચોથો પુરુષસમુદાય છે તે પુરુષો અશીલવાન અને અમૃતવાન છેઅનુપરત અને અવિજ્ઞાતધર્મવાળો છે–પાપથી અનુપરત હોવાને કારણે અશીલવાન અને અવિજ્ઞાત ધર્મવાળો હોવાને કારણે અમૃતવાન છે. હે ગૌતમ ! આ પુરુષ મારા વડે સર્વવિરાધક કહેવાયો છે. આની વૃત્તિ=ભગવતીસૂત્રની ટીકા, આ પ્રમાણે છે – એવં=લક્ષ્યમાણવ્યાયથી=આગળ કહેવાશે એ પદ્ધતિથી, ચાર પ્રકારના પુરુષો કહેવાય છે, એમ સંબંધ છે. પુરુષજાત-પુરુષના પ્રકારો, ચાર ભાંગામાંથી પ્રથમ ભાંગામાં શીલવાન અને અમૃતવાન કહ્યું તેનો શો અર્થ છે? તે સ્પષ્ટ કરે છે - ઉપરત અને અવિજ્ઞાત ધર્મવાળો છે.
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy