SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨ ૧૩૯ ટીકાર્ય : યં વાસ્થાનામિબ્રદિપિ.... વિવેચચિયામ: II અને આ રીતે પૂર્વે યોગબિંદુની સાક્ષીથી સ્પષ્ટતા કરી એ રીતે, આનું આદિધાર્મિકતું, અનાભિગ્રહિક પણ ગુણકારી પ્રાપ્ત થયું. અને તે રીતે અનાભિગ્રહિકમિથ્યાત્વ ગુણકારી છે તે રીતે, અનાભિગ્રહિક પણ આભિગ્રહિક તુલ્યપણું હોવાથી તીવ્ર જ છે. એ પ્રમાણે “સુનિશ્ચિમચદ્ધિ ગાથાની સંમતિ બતાવવાપૂર્વક જે કહે છે, તે નિરસ્ત જાણવું; કેમ કે મુગ્ધ જીવોને પોતાના સ્વીકારમાં તેનું અનાભિગ્રહિકમિથ્યાત્વનું, ગુણપણું છે. અહીં પ્રશ્ન થાય કે તો પછી અયોગવ્યવચ્છેદબત્રીશીમાં “સુનિશ્ચિત ઇત્યાદિ દ્વારા સર્વ દર્શન પ્રત્યેના માધ્યથ્યને દોષરૂપ કેમ કહેલ છે ? તેના સમાધાનરૂપે હેતુ કહે છે – સુનિશ્ચિત ઈત્યાદિ શ્લોક દ્વારા વિશેષ જાણનારના માયાદિ દ્વારા માધ્યશ્મના પ્રદર્શનનું જ દોષપણાનું પ્રતિપાદન છે. અને આવી આદિધાર્મિકની, સમ્યગ્દષ્ટિની જેમ અવિશેષ પ્રતિપત્તિ=સર્વ દર્શનો સારાં છે એ પ્રકારનો અવિશેષ સ્વીકાર, દુષ્ટ છે. એમ શંકા ન કરવી; કેમ કે અવસ્થાના ભેદથી=આદિધાર્મિક કરતાં સમ્યફતત્વની પ્રાપ્તિરૂપ અવસ્થાના ભેદથી, દોષનું વ્યવસ્થાપન છે=સર્વ દર્શનોને સુંદર સ્વીકારવામાં મિથ્યાત્વરૂપ દોષનું કથન છે, અન્યથા=અવસ્થાના ભેદથી સર્વ દર્શન સુંદર છે એમ સ્વીકારવામાં દોષની પ્રાપ્તિ ન હોય તો, સાધુની જેમ સમ્યગ્દષ્ટિને સાક્ષાત્ દેવ-પૂજાદિ પણ દુષ્ટ થાય એમ વિભાવન કરવું. આના દ્વારા પૂર્વમાં કહ્યું કે આ રીતે આદિધાર્મિકનું અનાભિગ્રહિકમિથ્યાત્વ ગુણકારી પ્રાપ્ત થયું એના દ્વારા પરનો એકાંત અભિનિવેશ=પર એવા કોઈક પૂર્વપક્ષીનો “અન્ય એવા દર્શનના દેવોને નમસ્કાર કરવો એકાંતે દુષ્ટ છે' એ પ્રકારનો અભિનિવેશ, નિરસ્ત જાણવો, એમ અવય છે. પરનો એકાંત અભિનિવેશ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – પૃથ્વી આદિતી આરંભની પ્રવૃત્તિની અપેક્ષાએ પોતપોતાના દેવોની આરાધનામાં પ્રવૃત્ત એવા જીવોનો અધ્યવસાય શોભન છે; કેમ કે દેવાદિ શુભગતિનું હેતુપણું છે. એમ કહીને સર્વ દેવતાઓને નમસ્કાર કરવાની ક્રિયા સુંદર છે એમ જેઓ કહે છે તે અસત્ છે. સર્વ દેવોને નમસ્કાર કરવાનો અધ્યવસાય કેમ સુંદર નથી ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે – તેવા પ્રકારના અધ્યવસાયનું પોતપોતાના દેવની આરાધનાની પ્રવૃત્તિના અધ્યવસાયનું, શોભનપણું હોતે છતે સમ્યક્તના ઉચ્ચારણના કાળમાં ‘નો વપૂરૂ સ્થિgવા ઈત્યાદિ આલાવાથી મિથ્યાત્વના પ્રત્યાખ્યાનની અનુપપત્તિની પ્રસક્તિ છે=મિથ્યાત્વનું પચ્ચકખાણ કરાય છે તે સંગત થાય નહિ. કેમ સમ્યક્ત ઉચ્ચરાવતી વખતે સર્વ દેવોને નમસ્કાર કરવારૂપ મિથ્યાત્વનું પચ્ચખાણ સંગત થાય નહિ ? તેમાં યુક્તિ બતાવે છે – “શુભ અધ્યવસાયનું અથવા શુભ અધ્યવસાયના હેતુનું સર્વ દેવોને નમસ્કાર કરવારૂપ શુભ અધ્યવસાયનું કે સર્વ દેવોને નમસ્કાર કરવારૂપ શુભ અધ્યવસાયના હેતુરૂપ પ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન થાય
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy