SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ “જો સંખ્યાતીત પુદ્ગલપરાવર્ત અસંખ્યાત પુદ્ગલપરાવર્ત, વનસ્પતિનો કાળ છે=વનસ્પતિનો કાયસ્થિતિનો કાળ છે, તો અત્યંત વનસ્પતિનો જીવ મરુદેવી કેવી રીતે હોય? અથવા કેવી રીતે વનસ્પતિનું અનાદિપણું થાય ? અર્થાત્ થાય નહિ. કેમ થાય નહીં ? તે સ્પષ્ટ કરે છે – આ જ હેતુથી=વનસ્પતિનો કાયસ્થિતિકાળ ઉત્કૃષ્ટથી અસંખ્યાત પુદ્ગલપરાવર્તે છે એ જ હેતુથી, વનસ્પતિનું અનાદિત્વ ન થાય, એમ અવય છે. જે કારણથી અસંખ્યાતા પુદ્ગલપરાવર્તે ત્યાં=વનસ્પતિમાં, અવસ્થાન છે તે કારણથી આટલા કાળ વડે સર્વ પણ વનસ્પતિના જીવો સ્થિતિકાળના અંતે કાયપલટને કરે છે–વનસ્પતિકાયથી અન્ય કાયને પ્રાપ્ત કરે છે, જે પ્રમાણે સુરાદિ. વળી, આ રીતે =વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાળ અસંખ્યયુગલપરાવર્ત છે એ રીતે, વનસ્પતિ જીવોનું આગમમાં નિર્લેપન પ્રતિષિદ્ધ છે=વનસ્પતિ જીવો સર્વ વનસ્પતિમાંથી નીકળીને અન્ય કાર્યમાં જાય તે પ્રકારનું નિર્લેપન પ્રતિષિદ્ધ છે તે પણ હવે પ્રસક્ત છે. કેવી રીતે વનસ્પતિનું નિર્લેપન હમણાં પ્રસક્ત છે ? એ પ્રમાણે કોઈ કહે તો જવાબ આપે છે – અહીં=સંસારમાં, પ્રતિસમય વનસ્પતિથી અસંખ્યાતા જીવો ઉદવર્તન પામે છે=વનસ્પતિકાયથી અન્ય કાયમાં જાય છે અને વનસ્પતિના જીવોની કાયસ્થિતિનું પરિમાણ અસંખ્યાત પુદ્ગલપરાવર્ત છે. તેથી અસંખ્ય પુદ્ગલપરાવર્તના જેટલા સમયો છે. તે સમયોથી અભ્યસ્ત ગુણાકાર કરાયેલા, એક સમયમાં નીકળેલા જીવો=વનસ્પતિમાંથી એક સમયમાં નીકળેલા જીવો, જેટલા થાય છે તેટલું પરિમાણ=તેટલી સંખ્યા પ્રમાણ, વનસ્પતિ પ્રાપ્ત થાય. તેથી પ્રતિનિયત પરિમાણપણું હોવાથી=વનસ્પતિના જીવોનું અનંત સંખ્યા હોવા છતાં પણ પ્રતિનિયત પરિમાણપણું હોવાથી, નિર્લેપન સિદ્ધ છે=વર્તમાનમાં રહેલા વનસ્પતિના જીવોનું સર્વ વનસ્પતિમાંથી નીકળીને અન્ય કાર્યમાં જવારૂપ નિર્લેપન સિદ્ધ છે; કેમ કે પ્રતિનિયત પરિમાણપણું છે=વનસ્પતિના જીવોનું પ્રતિનિયત પરિમાણપણું છે. આ રીતે જતાકાળથી સર્વ ભવ્યોની સિદ્ધિ પણ પ્રસક્ત છે અને તેની પ્રસક્તિમાં=સર્વ ભવ્ય જીવોની સિદ્ધિની પ્રસક્તિમાં, મોક્ષમાર્ગનો વ્યવચ્છેદ પણ પ્રસક્ત છે; કેમ કે સર્વ ભવ્ય જીવોના સિદ્ધિગમન પછી અન્યના સિદ્ધિગમનનો અયોગ છે. અને વિશેષણવતીમાં કહ્યું છે – “કાયસ્થિતિના કાળથી=વનસ્પતિકાયના જીવોની કાયસ્થિતિના કાળથી, તેઓનું વનસ્પતિના જીવોનું, અસંખ્યયતાના અપહારથી=પ્રતિસમય વનસ્પતિના જીવોનું અન્ય કાયસ્થિતિમાં ગમનરૂપ અસંખ્યયતાના અપહારથી, નિર્લેપન પ્રાપ્ત થયું. અને સર્વ ભવ્યોની સિદ્ધિ પણ છે.” “પ્રતિસમય અસંખ્યાતા જે કારણથી ઉદ્વર્તન પામે છે=વનસ્પતિના જીવો પ્રતિસમય અસંખ્યાતા વનસ્પતિભાવને છોડીને અન્ય ભાવને પામે છે. તે કારણથી તેનાથી અભ્યસ્ત=પ્રતિસમય ઉદ્વવર્તન પામતા અસંખ્યાતની સંખ્યાથી ગુણિત, કાયસ્થિતિના સમયો વનસ્પતિનું પરિમાણ છે.” અને આ નથી=વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાળ અસંખ્યકાળ સ્વીકારવાને કારણે જે દોષો બતાવ્યા તે પ્રમાણે સ્વીકાર નથી; કેમ કે વનસ્પતિના અનાદિત્વનું, નિર્લેપનના પ્રતિષેધનું, સર્વભવ્યની અસિદ્ધિનું અને મોક્ષપથના અવ્યવચ્છેદનું સિદ્ધાંતમાં તે તે સ્થાનમાં અભિધાન છે. પૂર્વના શંકાકારના કથનથી એ ફલિત થયું કે વનસ્પતિનો ઉત્કૃષ્ટ કાળ આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત સ્વીકારીએ તો જે શંકા કરી તે સર્વ દોષોની આપત્તિ છે અને વનસ્પતિનું અનાદિપણું
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy