SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩પ-૪૩૬ કરીને પૃથ્વીકાય આદિના આરંભને કરનારા છે, તેથી છ કાય જીવોના શત્રુ છે. વળી ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને જિનવચનથી આત્માને વાસિત કરતા નથી, તેથી મોકળા મન-વચન-કાયાના વ્યાપારવાળા છે અર્થાત્ મન-વચન-કાયાના યોગો યથાતથા બાહ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તાવનારા છે. આથી સાધુનો વેષ માત્ર અવશેષ છે, પરંતુ અસંગભાવને અનુકૂળ સમભાવનો પરિણામ લેશ પણ પ્રવર્તતો નથી એવા સાધુ અત્યંત અસંયમમાં તત્પર છે, તેમનો તે અસંયમ આત્મા માટે ક્ષાર જેવો છે; કેમ કે સંયમ પાલનની પ્રતિજ્ઞા કરીને સંયમ પ્રત્યે ઉપેક્ષાવાળા થઈને અસંયમની પ્રવૃત્તિ કરે છે, તેથી તેમનો અસંયમનો પરિણામ આત્માને અત્યંત મલિન કરે છે. વસ્તુતઃ શ્રાવકોમાં પણ તેવો અસંયમનો પરિણામ છે તોપણ વિવેકી શ્રાવકો ભગવાનની ભક્તિ કરીને સંયમનો રાગ કેળવે છે. તેથી તે શ્રાવકોનો અસંયમનો પરિણામ પણ ઉત્તમ ભાવોથી ક્ષીણ થયેલી શક્તિવાળો હોવાથી તેમના આત્માને અતિ મલિન કરતો નથી, પરંતુ વીતરાગના અને સંયમના રાગને કારણે તે શ્રાવકો પોતાના આત્માનું કંઈક શોધન કરે છે, જ્યારે સાધુવેષમાં રહીને નિરપેક્ષ ભાવથી અસંયમનું સેવન કરનારા સાધુ સંયમને અભિમુખ ભાવ કરતા નથી, પરંતુ પોતાની અસંયમની પ્રવૃત્તિમાં સંયમની બુદ્ધિને ધારણ કરે છે. તેથી પોતાના અસંયમ પ્રત્યેનો તીવ્ર રાગ તેમના આત્માને અત્યંત મલિન કરે છે. તેથી તે જીવો ઘણા ભવો સુધી સન્માર્ગને ન પામી શકે તેવાં ક્લિષ્ટ કર્મ બાંધે છે. II૪૩પવા - અવતરણિકા : कथं भगवल्लिङ्गयोगेऽपि पापसम्बन्ध इति मुग्धबुद्धिर्यश्चिन्तयेत् तं व्युत्पादयितुमाहઅવતરણિયાર્થ: ભગવાનના લિંગનો યોગ હોતે છતે પણ પાપનો સંબંધ કેવી રીતે થાય ? એ પ્રમાણે જે મુગ્ધ બુદ્ધિવાળો વિચારે, તેને બોધ કરાવવા માટે કહે છે – ગાથા : किं लिंगविड्डरीधारणेण, कज्जम्मि अट्ठिए ठाणे । राया न होइ सयमेव, धारेंतो चामराडोवे ॥४३६।। ગાથાર્થ : કાર્ય અસ્થિત સાધુમાં સંયમનું કાર્ય અવિધમાન છે એવા સાધુમાં, લિંગના આડંબરને ધારણ કરવા વડે શું? વિશિષ્ટ સિંહાસન ઉપર બેઠેલો સ્વયં જ ચામરના આડંબરને ધારણ કરતો રાજા થતો નથી. II૪૩૬ો. ટીકા :'किं लिंगविड्डरीधारणेण'त्ति किं वेषस्फटाटोपाधानेन, कार्ये-संयमप्रयोजनेऽस्थिते साधौ, न
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy