SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૭-૪૧૮ છે, જે પ્રકારે જેવા પ્રકારના અપરાધીને તે અપાય છે અથવા જે પ્રકારે કરાવાય છે વગેરે, તેને પણ નહિ જાણતો કેવી રીતે યત્ન કરે ? એમ અત્રય છે, દ્રવ્યાદિ ગુણોમાં આદિ શબ્દથી ક્ષેત્રકાલ-ભાવનું ગ્રહણ છે, સુંદર અસુંદર એવા તેના ગુણોમાં જે વિધિ છે તે સમગ્ર સમસ્તને, નહિ જાણતો કેવી રીતે યત્ન કરે ? એમ અવય છે અને પ્રવાજા વિધિને–દીક્ષાદાનના ક્રમને અને ઉપસ્થાપનાને=વ્રત આરોપણના ચાયને, આર્યાવિધિને–સાધ્વીના પ્રતિપાલનના ક્રમને, ઉત્સર્ગઅપવાદ વિધિ=લિવિશેષણ અને દ્રવ્યાદિ અપેક્ષાથી કર્તવ્યમાર્ગને નિરવશેષ=સંપૂર્ણ, નહિ જાણતો કેવી રીતે યત્ન કરે ? ૪૧૭-૪૧૮. ભાવાર્થ : સાધુ સંસારનો ક્ષય કરીને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિના અર્થ છે અને સિદ્ધ અવસ્થા સંપૂર્ણ નિગ્રંથભાવ સ્વરૂપ છે અને તેની પ્રાપ્તિના ઉપાયભૂત નિગ્રંથભાવને પ્રગટ કરવા માટે સાધુ સંયમ ગ્રહણ કરે છે, આથી સ્વજન-ધન વગેરે સર્વના સંગનો સર્વથા ત્યાગ કરે છે અને અંતરંગ કષાય અને નોકષાયરૂપ ગ્રંથોનો ત્યાગ કરે છે અને કલ્પાકલ્પની સર્વ આચરણાઓ નિગ્રંથભાવને અતિશય કરવાના અંગરૂપે છે, પરંતુ જે સાધુને તે વિષયક સૂક્ષ્મ બોધ નથી તે સાધુ તે તે આચરણા દ્વારા કષાયોના ત્યાગ સ્વરૂપ નિગ્રંથભાવમાં યત્ન કરી શકે નહિ તે બતાવવા માટે કહે છે – જે સાધુને સંયમજીવનમાં આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરે કયા કથ્ય છે અને કયા અકથ્ય છે, તેનો સૂક્ષ્મ બોધ નથી, તેઓ અકથ્યનો ત્યાગ કરીને કણ્યનું સેવન કરીને કઈ રીતે સંયમયોગમાં યત્ન કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. જોકે કેટલાક સાધુને પૂલથી ગોચરી આદિના દોષોનાં નામો માત્રનો બોધ હોય, પરંતુ ગ્રહણ કરતી વખતે આ કથ્ય છે, આ અકથ્ય છે તેવો સ્પષ્ટ વિભાગ ન કરી શકે તેમના માટે સંયમમાં યત્ન અશક્ય બને છે. વળી સાધુનો માસકલ્પાદિ વિહાર છે. કયા સંયોગોમાં કઈ રીતે ક્ષેત્રના કે શ્રાવકના પ્રતિબંધના પરિહારપૂર્વક માસકલ્યાદિ વિહાર કરવો તેનો માર્ગાનુસારી બોધ નથી, તેઓ તે રીતે માસિકલ્પાદિ કરીને કઈ રીતે સંયમસ્થાનની વૃદ્ધિ કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ અથવા સ્થવિરકલ્પ-જિનકલ્પ વગેરે આચારોના ભાવોને જેઓ જાણે છે, તેઓ કઈ રીતે સ્થવિર કલ્પના આચારો અસંગભાવને અભિમુખ જાય છે અને કઈ રીતે જિનકલ્પના આચારો અસંગભાવ તરફ જાય છે, તેના પરમાર્થના બોધવાળા છે, તેઓ શક્તિ અનુસાર સ્થવિરકલ્પને સેવીને પણ સંયમની વૃદ્ધિ કરે છે અને જિનકલ્પના આચારોને ભાવન કરીને તેના પ્રત્યે બદ્ધ રાગવાળા થઈને સંયમની વૃદ્ધિ કરે છે, પરંતુ જેમને સ્થવિરકલ્પ કઈ રીતે મોહનાશમાં પ્રવર્તક છે, જિનકલ્પ કઈ રીતે મોહનાશમાં પ્રવર્તક છે, તેનો કોઈ બોધ નથી તેઓ કલ્પાકલ્પના અજ્ઞાનને કારણે કઈ રીતે સંયમવૃદ્ધિમાં યત્ન કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. જોકે વર્તમાનમાં જિનકલ્પ વગેરે વિચ્છિન્ન છે તોપણ સુસાધુ જિનકલ્પના આચારોના પરમાર્થનો બોધ કરીને જિનકલ્પની અસંગ પરિણતિથી આત્માને ભાવિત કરે છે અને સ્થવિર કલ્પના આચારો કઈ રીતે જિનકલ્પનું
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy