________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૬-૩૮૭ રીતે જે સાધુ વર્તમાનમાં માન-ખ્યાતિમાં મૂઢ છે અને લોકોમાં ગાજીને મિથ્યાપ્રવૃત્તિ કરીને પોતાનો મનુષ્યભવ નિષ્ફળ કરે છે, તેઓ ભવિષ્યમાં શોકને પ્રાપ્ત કરશે. ll૩૮૬ાા અવતરણિકા -
एते चैवंविधाः कर्मपरतन्त्रतया तारतम्येनाऽनेकाकारा भवन्तीयाहઅવતરણિકાર્ય :
આ=કૂટ ચારિત્રવાળા, કર્મપરતંત્રપણાથી આવા પ્રકારના તારતમ્યથી અનેક આકારવાળા થાય છે. એથી કહે છે –
ગાથા -
एगागी पासत्थो, सच्छंदो ठाणवासि ओसनो ।
दुगमाई संजोगा, जह बहुया तह गुरू हुंति ।।३८७।। ગાથાર્થ :
એકાકી, પાર્શ્વરથ, સ્વછંદ, સ્થાનવાસી, અવસગ્ન પ્રમાદી સાધુ છે, દ્વિક વગેરે સંયોગો થાય છે, જેમ ઘણાં સ્થાનો તેમ ગુરુ દોષવાળા થાય છે. ll૧૮ll ટીકા -
एकाकी केवलो धर्मबन्धुरहितः, पार्श्वस्थो ज्ञानादिपार्श्ववती, स्वच्छन्दो गुर्वाज्ञाविकलः, स्थानवासी सदैकत्र विहारो नित्यवासीत्यर्थः, अवसन्न आवश्यकादिषु शिथिलः, तदेतानि पञ्च पदान्येषां च क्वचिदेकं भवति, क्वचिद् द्वे त्रीणि चत्वारि सर्वाणि वा, अत एवाह द्विकादयः संयोगा भवन्ति, मकारोऽलाक्षणिकस्तेषां च यथेति वीप्सा प्रधानत्वाद्यथा बहूनि पदानि, पुल्लिङ्गनिर्देशः प्राकृतत्वात्, तथा गुरवः संयोगा भवन्ति, पदवृद्ध्या दोषवृद्धिरिति ।।३८७।। ટીકાર્ય :
. રોષવૃત્તિ એકાકી કેવળ=ધર્મબંધુથી રહિત, પાર્થસ્થ=જ્ઞાનાદિની પાસે રહેવારો, સ્વચ્છંદ–ગુરુની આજ્ઞાથી રહિત, સ્થાનવાસી=હંમેશાં એક સ્થાને વિહાર કરવાવાળો=નિત્ય વાસ કરનારો, અવસ=આવશ્યક વગેરેમાં શિથિલ, તે આ પાંચ પદો છે. ક્યારેક આનું એક પદ થાય છે, ક્યારેક બે, ત્રણ, ચાર અથવા બધાં પદો થાય છે. આથી જ કહે છે – દ્વિક વગેરે સંયોગો થાય છે, કારકુમામાં રહેલો કાર, અલાક્ષણિક છે અને તેઓના=તે પદોના, યથા એ વીસા પ્રધાનપણું હોવાથી જેમ જેમ ઘણાં પદો તેમ તેમ ગુરુસંયોગો થાય છે=પદની વૃદ્ધિથી દોષની વૃદ્ધિ થાય છે, ગાથામાં વહુવા નપુંસકલિંગને બદલે પુંલ્લિગ નિર્દેશ પ્રાકૃતપણાને કારણે છે. li૩૮ાા